અરૂણાચલના નકશા પર ભડક્યું ચીન!
ભારત દ્વારા સત્તાવાર નકશામાં અરૂણાચલ પ્રદેશના 27 સ્થળોના નામો ઉમેરવા પર ચીન ભડક્યું છે. ચીન આને પોતાના 'ઝાંગનાન' ક્ષેત્રમાં એકતરફી કાર્યવાહી ગણાવી રહ્યું છે અને ટીકા કરી રહ્યું છે. ચીની નિષ્ણાતોના મતે, ભારતનું આ પગલું બંને દેશો વચ્ચે સુધરી રહેલા સંબંધોને અસર કરી શકે છે. 'સરવે ઑફ ઇન્ડિયા' દ્વારા અપડેટ કરાયેલા નકશામાં 4 પહાડી દર્રા અને 1 ઊંચાઈ પર આવેલી ઝીલ સહિત 27 સ્થળોના નામ સામેલ કરાયા છે. ભારતનો ઉદ્દેશ્ય આ સ્થળોની સાચી ઓળખ અને ભૌગોલિક-ઐતિહાસિક મહત્ત્વતા વિશે જાગરૂકતા વધારવાનો છે. ચીન મેકમોહન રેખાને ગેરકાયદેસર માને છે અને અરૂણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો ગણાવે છે.
અરૂણાચલના નકશા પર ભડક્યું ચીન!
હૉર્મુઝમાં ૧૫૦૦ જહાજોમાં ‘બાયોફાઉલિંગ’નું જોખમ!
હૉર્મુઝ જળમાર્ગ બંધ થવાથી ફારસની ખાડીમાં ૧૫૦૦થી વધુ કોમર્શિયલ જહાજો લાંબા સમયથી અટવાયેલા છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ સ્થિતિ દરિયાઈ જીવસૃષ્ટિ માટે ‘બાયોફાઉલિંગ’નું નવું જોખમ ઊભું કરી રહી છે. જહાજોના નીચેના ભાગમાં ચોંટી ગયેલા સૂક્ષ્મજીવો, શૈવાળ અને પરજીવીઓ જ્યારે આ જહાજો વૈશ્વિક બંદરો તરફ રવાના થશે ત્યારે નવા વિસ્તારોમાં ફેલાઈ શકે છે. ફારસની ખાડીનું ગરમ પાણી આ સૂક્ષ્મજીવોના વિકાસ માટે અનુકૂળ હોવાથી, આ જહાજો ‘સુપર-સ્પ્રેડર’ સાબિત થઈ શકે છે, જે સ્થાનિક દરિયાઈ જીવો માટે ઘાતક બની શકે છે અને માછીમારી ઉદ્યોગને અસર કરી શકે છે.
હૉર્મુઝમાં ૧૫૦૦ જહાજોમાં ‘બાયોફાઉલિંગ’નું જોખમ!
ધાર-ઉજ્જૈન હાઇવે અકસ્માતમાં પંચમહાલના 6 યુવાનોના મોત!
ધાર-ઉજ્જૈન ફોરલેન હાઇવે પર થયેલા ભયાનક અકસ્માતમાં ગુજરાતના પંચમહાલના 6 યુવાનોના મોત નીપજ્યા હતા. આ યુવાનો ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરીને કારમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે રોંગ સાઈડથી આવતા ટ્રક સાથે તેમની કારની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફુરચા ઉડી ગયા હતા અને કારમાં સવાર તમામ યુવાનો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. ગત મોડી રાત્રે મૃતદેહોને વતન લાવ્યા બાદ આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
ધાર-ઉજ્જૈન હાઇવે અકસ્માતમાં પંચમહાલના 6 યુવાનોના મોત!
ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલનને શત્રુઘ્ન સિન્હા અને રાહુલ ગાંધીનું સમર્થન
ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC અને JSSC-CGL પરીક્ષામાં ગેરરીતિ તથા પેપર લીકની CBI તપાસની માંગ સાથે વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું છે. વિધાનસભા ઘેરાવ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જની TMC સાંસદ શત્રુઘ્ન સિન્હા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આકરી શબ્દોમાં નિંદા કરી છે. બંને નેતાઓએ સરકારને વિદ્યાર્થીઓની વાજબી માંગણીઓ પૂરી કરવા અપીલ કરી છે. બીજી તરફ, ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ રાહુલ ગાંધીના બેવડા વલણ પર સવાલો ઉઠાવ્યા છે, જ્યારે રાજ્ય સરકાર CID તપાસ અને વાર્તાલાપ ચાલુ હોવાનું જણાવી રહી છે.
ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલનને શત્રુઘ્ન સિન્હા અને રાહુલ ગાંધીનું સમર્થન
કોલંબિયામાં 6.8 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ!
કોલંબિયામાં સોમવારે 6.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના આંચકા દેશના અનેક શહેરોમાં અનુભવાયા હતા. ભૂકંપના તીવ્ર આંચકા મેડેલિન, બોગોટા અને કેલી સહિતના વિસ્તારોમાં અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મેડેલિનમાં સાવચેતીના ભાગરૂપે કેટલીક ઇમારતો ખાલી કરાવવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ચોકો ક્ષેત્રના 'સેન જોસ ડેલ પાલમાર' પાસે 82 કિલોમીટરની ઊંડાઈએ હતું. પ્રાથમિક અહેવાલો મુજબ, કોઈ મોટા નુકસાન કે જાનહાનિના સમાચાર નથી.
કોલંબિયામાં 6.8 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ!
રાહુલ ગાંધી: "વિદ્યાર્થીઓનું સાંભળે ઝારખંડ સરકાર, બળપ્રયોગ ખોટો..."
ઝારખંડમાં JPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં ગડબડીઓને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું છે. આંદોલનના 17મા દિવસે રાંચીમાં હજારો ઉમેદવારોએ વિધાનસભાનો ઘેરાવ કર્યો હતો. પ્રદર્શન દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કામુક્કી થતાં વોટર કેનનનો ઉપયોગ કરાયો હતો. આ બળપ્રયોગ સામે વિપક્ષ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઝારખંડની હેમંત સોરેન સરકારને નિશાને લીધી છે. રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરી કહ્યું કે, વિદ્યાર્થીઓ સામે બળનો ઉપયોગ કરવો ખોટો છે. તેમને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે અને સરકાર તેમની માંગણીઓ સાંભળે.
રાહુલ ગાંધી: "વિદ્યાર્થીઓનું સાંભળે ઝારખંડ સરકાર, બળપ્રયોગ ખોટો..."
ભારતીયો પર સરેરાશ ₹4.77 લાખનું દેવું, 28 કરોડ લોકોએ લીધી લોન!
આધુનિક યુગમાં સરળ હપ્તા અને તાત્કાલિક લોનની સુવિધાઓએ ભારતીય પરિવારોના નાણાકીય આયોજનને બદલી નાખ્યું છે. બચત પર નિર્ભર મધ્યમ વર્ગ હવે જરૂરિયાતો માટે ક્રેડિટ પર નિર્ભર થઈ રહ્યો છે. લોકસભામાં રજૂ થયેલા આંકડા મુજબ, યુનિક બોરોઅર્સ 28.3 કરોડને પાર, જ્યારે વ્યક્તિ દીઠ સરેરાશ દેવું ₹4,77,583 થયું છે. છેલ્લા 4 વર્ષમાં Gold Loanમાં 6 ગણો ઉછાળો આવ્યો છે, જે દર્શાવે છે કે પરિવારો રોકડ જરૂરિયાતો માટે સોનાનો વધુ ઉપયોગ કરી રહ્યા છે.
ભારતીયો પર સરેરાશ ₹4.77 લાખનું દેવું, 28 કરોડ લોકોએ લીધી લોન!
ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે રાહુલ ગાંધી ભડક્યા!
ઝારખંડના રાંચીમાં JPSC અને JSSC-CGL પરીક્ષામાં ગેરરીતિ તથા પેપર લીક સામે વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું છે. આ દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર પોલીસના બળપ્રયોગની નિંદા કરી છે. તેમણે ઝારખંડ સરકારને શાંતિપૂર્ણ બેઠક દ્વારા પ્રશ્નો ઉકેલવા અપીલ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, વિદ્યાર્થીઓને વિરોધ કરવાનો અધિકાર છે અને વાર્તાલાપથી જ સાચો ઉકેલ મળી શકે છે. સરકારે યુવાનોની વાત સાંભળી તાત્કાલિક સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ.
ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે રાહુલ ગાંધી ભડક્યા!
રશિયામાં 1000 કિમી અંદર યુક્રેનનો ઘાતક ડ્રોન હુમલો
યુક્રેને રશિયાની સરહદથી 1000 કિલોમીટર અંદર મધ્ય રશિયાના તાતારસ્તાન વિસ્તારમાં ઘૂસીને ડ્રોનથી મોટો હુમલો કર્યો છે. નિઝનેકામસ્ક શહેરમાં થયેલા આ હુમલામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને 39 લોકો ઘાયલ થયા છે. આ હુમલાથી રશિયાના મહત્વપૂર્ણ ઓઇલ રિફાઇનિંગ સેન્ટર અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ તબાહ થયા છે, જેના કારણે ઇંધણની અછત ઊભી થઈ છે. યુક્રેનનું લક્ષ્ય રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વાટાઘાટો માટે મજબૂર કરવાનું છે. બીજી તરફ, રશિયાએ પણ યુક્રેન પર વળતો હુમલો કર્યો છે.
રશિયામાં 1000 કિમી અંદર યુક્રેનનો ઘાતક ડ્રોન હુમલો
સીમાંકન અને મહિલા અનામત માટે મોદી સરકારને કેટલા વોટ ખૂટે છે?
સીમાંકન બિલ અને મહિલા અનામત બિલ 2026 અંગે સંસદમાં હજુ અનિશ્ચિતતા છે. સરકાર મહત્વપૂર્ણ વિધેયકો પર સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે. સંસદમાં હાલ સીટોનું ગણિત સમજવું જરૂરી છે. DMK અને NCP (શરદચંદ્ર પવાર)નું સમર્થન મેળવવા સરકાર FCRA બિલ પર ધીમી પડી રહી છે. લોકસભામાં 2/3 બહુમતી માટે 360 વોટની જરૂર છે, જ્યારે NDA પાસે હાલ 319 સાંસદોનું સમર્થન છે. DMKના સમર્થનથી NDAનો આંકડો 346 સુધી પહોંચી શકે છે.
સીમાંકન અને મહિલા અનામત માટે મોદી સરકારને કેટલા વોટ ખૂટે છે?
મનરેગાની જગ્યાએ આવેલી નવી VB-G RAM G યોજનાના પહેલા જ મહિને મોટો ઝટકો!
મનરેગાના સ્થાને આવેલી નવી VB-G RAM G યોજનાના પ્રથમ મહિનામાં રોજગાર સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જુલાઈ 2026માં આ યોજના હેઠળ 7.67 કરોડ પર્સન-ડે રોજગાર નોંધાયો, જે ગત વર્ષે જુલાઈમાં મનરેગાના 15.33 કરોડ પર્સન-ડેની સરખામણીએ લગભગ 50% ઓછો છે. ₹1.52 લાખ કરોડના મોટા બજેટ છતાં, યોજનાની શરૂઆત ધીમી પડી છે. 100 દિવસથી વધારીને 125 દિવસ રોજગાર અને ₹300 લઘુત્તમ વેતન જેવી સુવિધાઓ હોવા છતાં, આ ઘટાડો યોજનાની કામગીરી પર પ્રશ્નાર્થ સર્જે છે.
મનરેગાની જગ્યાએ આવેલી નવી VB-G RAM G યોજનાના પહેલા જ મહિને મોટો ઝટકો!
તૃણમૂલ કોંગ્રેસમાં ભંગાણ બાદ પણ બળવાખોર સાંસદોમાં પણ ડખો!
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના 20 સાંસદોએ બળવો કરીને નેશનલ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI)માં જોડાવાનો નિર્ણય લીધો હતો, જે NDAને સમર્થન આપી રહી છે. જોકે, હવે આ જૂથમાં દરાર પડવાના અહેવાલો છે. મુર્શિદાબાદના 3 સાંસદો, જેમાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ, અબૂ તાહિર ખાન અને ખલીલુર રહમાનનો સમાવેશ થાય છે, તેઓ ભાજપ સાથે નજીક જવાથી પોતાની વોટ બેંક ગુમાવવાનો ડર અનુભવી રહ્યા છે. આ સાંસદોએ NDAની બેઠકમાં પણ ગેરહાજરી દર્શાવી હતી, અને અબૂ તાહિરે સ્પષ્ટ કર્યું છે કે તેઓ 'NDAમાં નથી' અને માત્ર પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
તૃણમૂલ કોંગ્રેસમાં ભંગાણ બાદ પણ બળવાખોર સાંસદોમાં પણ ડખો!
56 વર્ષની ઉંમરે પણ ફિટ છે રાહુલ ગાંધી, જુઓ Gen-Zને ફિટનેસ અંગે શું આપી સલાહ
56 વર્ષની ઉંમરે પણ ફિટનેસના ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યુવા પેઢી (Gen-Z) ને ફિટનેસ અંગે મહત્વની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે ફિટનેસ માટે કોઈ ખાસ રૂટિન કરતાં નિયમિતતા સૌથી વધુ મહત્વની છે. રાહુલ ગાંધી પોતાની દિનચર્યામાં માર્શલ આર્ટ્સ, સ્વિમિંગ, રનિંગ અને યોગ જેવી કસરતોનો સમાવેશ કરે છે, અને વ્યસ્ત હોવા છતાં પણ કસરત માટે સમય કાઢે છે. તેમણે યુવાનોને હેલ્ધી ફૂડ ખાવા, વારંવાર કંઈક ખાવાની આદત ટાળવા અને આલ્કોહોલનું સેવન મર્યાદિત રાખવાની પણ સલાહ આપી છે.
56 વર્ષની ઉંમરે પણ ફિટ છે રાહુલ ગાંધી, જુઓ Gen-Zને ફિટનેસ અંગે શું આપી સલાહ
૨૨ વર્ષની યુવતી ઓનલાઈન ગેમિંગ દ્વારા બની ૧૪ હજાર કરોડની માલિક
દક્ષિણ કોરિયાની કિમ જંગ યુન, માત્ર ૨૨ વર્ષની ઉંમરે વિશ્વની સૌથી યુવા ટેક અબજોપતિ બની છે. Forbes ની 2026 World's Billionaires List માં તેનું નામ નોંધાયું છે. તેની ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ તેના પિતા દ્વારા સ્થાપિત ગેમિંગ કંપની Nexon માંથી મળેલી હિસ્સેદારીને કારણે છે. Nexon, MapleStory અને KartRider જેવી લોકપ્રિય ગેમ્સ બનાવી ચૂકી છે. ૨૦૨૨માં પિતાના અવસાન બાદ તેને અને તેની બહેનને કંપનીમાં મોટી હિસ્સેદારી મળી.
૨૨ વર્ષની યુવતી ઓનલાઈન ગેમિંગ દ્વારા બની ૧૪ હજાર કરોડની માલિક
શરદ પવારના સાંસદોની PM મોદી સાથે મુલાકાત!
શરદ પવાર જૂથના તમામ 8 લોકસભા સાંસદોએ સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આશરે અડધો કલાક ચાલેલી બેઠકમાં મહારાષ્ટ્રના દુષ્કાળ, સિંચાઈ, ખેડૂતોની આત્મહત્યા, શહેરીકરણ અને સ્થાનિક વિકાસ જેવા મુદ્દાઓ અંગે ચર્ચા થઈ. સાંસદોએ મહાત્મા ફુલે, સાવિત્રીબાઈ ફુલે, અન્ના ભાઉ સાઠે અને તુકડોજી મહારાજને ભારત રત્ન આપવાની તેમજ નવી મુંબઈ એરપોર્ટનું નામ ડી.વાય. પાટીલ એરપોર્ટ રાખવાની માંગ કરી. MPLAD ફંડમાં રાજ્ય સરકારના અસહકારનો મુદ્દો પણ ઉઠાવ્યો. મોદીએ સમસ્યાઓના ઉકેલનું આશ્વાસન આપ્યું.
શરદ પવારના સાંસદોની PM મોદી સાથે મુલાકાત!
બોક્સર નરેન્દરનો કિસ્સો સાંભળી PM મોદી ખુદ હસી પડ્યા, 'નરેન્દ્ર નામથી નફરત'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ 2026ના મેડલ વિજેતા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન હેવીવેઈટ બોક્સર નરેન્દર બેરવાલે 2015 વર્લ્ડ મિલિટ્રી ગેમ્સનો એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો. તેમણે પાકિસ્તાની બોક્સરને હરાવ્યા બાદ થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો, જેમાં પાકિસ્તાની બોક્સરે કહ્યું કે, 'તમારું નામ નરેન્દ્ર છે, તમારા કોચનું નામ નરેન્દ્ર છે, તમારા વડાપ્રધાનનું નામ નરેન્દ્ર છે. મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે.' આ સાંભળીને PM મોદી પણ હસી પડ્યા.
બોક્સર નરેન્દરનો કિસ્સો સાંભળી PM મોદી ખુદ હસી પડ્યા, 'નરેન્દ્ર નામથી નફરત'
હોસ્ટેલમાં કાળ બનીને આવ્યો સાપ! છ વિદ્યાર્થીઓને ડંખ માર્યો, ત્રણના મોત
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એક આશ્રમશાળાની હોસ્ટેલમાં અકસ્માત થયો છે, જ્યાં ઝેરી સાપે 6 વિદ્યાર્થીનીઓને ડંખ માર્યો. આ ઘટનામાં દુર્ભાગ્યે 3 વિદ્યાર્થીનીઓના મોત થયા છે, જ્યારે બાકીની 3 વિદ્યાર્થીનીઓની સારવાર ચાલી રહી છે. આ કરુણ ઘટનાથી પરિવારજનોમાં શોક ફેલાયો છે. અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓ ધોરણ 5 થી 8માં અભ્યાસ કરતી હતી. ઘટનાને પગલે વિદ્યાર્થીનીઓની સુરક્ષા વ્યવસ્થા અને ઈમરજન્સી તબીબી સુવિધાઓ પર સવાલો ઉઠી રહ્યા છે.
હોસ્ટેલમાં કાળ બનીને આવ્યો સાપ! છ વિદ્યાર્થીઓને ડંખ માર્યો, ત્રણના મોત
સાંસદોની સંખ્યા 816 થતાં સરકારી તિજોરી પર કેટલો બોજ પડશે?
સીમાંકન બિલ 2026 બાદ લોકસભા બેઠકો 543 થી વધીને 816 થવાની શક્યતા છે, જેનાથી 273 નવા સાંસદો ઉમેરાશે. આનાથી સરકારી તિજોરી પર નોંધપાત્ર બોજ વધશે. હાલમાં એક સાંસદ દીઠ વાર્ષિક સરેરાશ ખર્ચ 30 લાખ થી 4 કરોડ રૂપિયા સુધીનો છે. નવા સાંસદોના પગાર-ભથ્થાં, MPLAD ફંડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુરક્ષા તેમજ સ્ટાફની જરૂરિયાતો પૂરી કરવા માટે દર વર્ષે હજારો કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થઇ શકે છે, જે દેશના વિકાસ અને વહીવટ પર અસર કરશે.
સાંસદોની સંખ્યા 816 થતાં સરકારી તિજોરી પર કેટલો બોજ પડશે?
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ: પ્રચંડ વહેણમાં કાર તણાઇ
મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પડાણા નજીક ઝીરી નાળાના તીવ્ર પ્રવાહમાં એક ઈકો કાર તણાઈ જતાં 8 લોકોના દુ:ખદ મોત થયા છે, જ્યારે 1 વ્યક્તિ હજુ લાપતા છે. દેવાસ જિલ્લાના સતવાસના 11 લોકો કડલાવદ ગામ જઈ રહ્યા હતા. ડ્રાઈવરે પુલ નિર્માણ કાર્ય ચાલી રહેલા નાળાને પાર કરવાનો પ્રયાસ કરતા કાર પાણીના જોરદાર પ્રવાહમાં ખાબકી હતી. બચાવ કાર્યમાં 2 લોકોને સુરક્ષિત બહાર કાઢાયા, જ્યારે 8 મૃતદેહો મળ્યા. SDRF લાપતા વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ: પ્રચંડ વહેણમાં કાર તણાઇ
રાષ્ટ્રપતિ ભવનના સ્વાતંત્ર્ય પર્વની આમંત્રણ કિટમાં 4 રાજ્યની પરંપરાગત કળા ઝળકી
દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા સમારોહ માટે ખાસ આમંત્રણ કિટ તૈયાર કરાઈ છે. અમદાવાદની National Institute of Design (NID)એ આ કિટમાં પોતાની કલાત્મક છાપ છોડી છે. NID અમદાવાદ દ્વારા ડિઝાઇન કરાયેલી આ કિટમાં ભારતની સાંસ્કૃતિક વિરાસત અને વિવિધતા રજૂ કરાઈ છે. 100થી વધુ કારીગરો અને NID ટીમનો સંયુક્ત પ્રયાસ છે. આ કિટ માત્ર નિમંત્રણ પત્ર નથી, પરંતુ ભારતની વિવિધતા, કારીગરોની કુશળતા અને સ્થાનિક પરંપરાઓને બિરદાવતું સર્જન છે. આ વર્ષની ખાસ કિટમાં ચાર રાજ્યોની કળાને સ્થાન મળ્યું છે: છત્તીસગઢની ‘ડોકરા’ અને લોહ શિલ્પ, ગોવાના ‘અઝુલેજો’ ટાઇલ આર્ટ, મધ્ય પ્રદેશની ‘ભીલ કળા’ અને મહારાષ્ટ્રની ‘વારલી કળા’.
રાષ્ટ્રપતિ ભવનના સ્વાતંત્ર્ય પર્વની આમંત્રણ કિટમાં 4 રાજ્યની પરંપરાગત કળા ઝળકી
ભારતીય વૈજ્ઞાનિક દીપક ધરને પ્રતિષ્ઠિત 'ડિરાક મેડલ' ૨૦૨૬ થી સન્માનિત
સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર (Theoretical Physics) અને આંકડાકીય મિકેનિક્સ (Statistical Mechanics) માં અગ્રણી ભારતીય વૈજ્ઞાનિક પ્રોફેસર દીપક ધરને ૨૦૨૬ નો પ્રતિષ્ઠિત ‘ડિરાક મેડલ’ (Dirac Medal) એનાયત કરાયો છે. તેઓ સ્ટીફન હોકિંગ જેવા દિગ્ગજોની હરોળમાં સામેલ થયા છે. આ પુરસ્કાર ક્વોન્ટમ મિકેનિક્સના પ્રણેતા પોલ ડિરાકની યાદમાં ICTP દ્વારા અપાય છે, અને તે નોબેલ વિજેતા ન હોય તેવા વૈજ્ઞાનિકોને મળે છે. પ્રોફેસર ધરનું 'ધરનું બર્નિંગ અલ્ગોરિધમ' (Dhar's Burning Algorithm) જટિલ સિસ્ટમોના અભ્યાસમાં માઇલસ્ટોન છે.
ભારતીય વૈજ્ઞાનિક દીપક ધરને પ્રતિષ્ઠિત 'ડિરાક મેડલ' ૨૦૨૬ થી સન્માનિત
સંસદમાં 11થી 13 ઓગસ્ટે કંઈ મોટું થવાના એંધાણ!
સંસદના મોન્સૂન સત્રમાં FCRA (Foreign Contribution Regulation Act) અને ડિલિમિટેશન (પરિસીમન) બિલને લઈને મોટો રાજકીય સંગ્રામ ખેલાવાના એંધાણ છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે 11, 12 અને 13 ઓગસ્ટે પોતાના તમામ સાંસદોને ફરજિયાત હાજર રહેવા વ્હિપ (Whip) જાહેર કર્યો છે. વિપક્ષી પાર્ટીઓમાં એવી ચર્ચા છે કે સરકાર આખરી દિવસોમાં કોઈ મોટો રાજકીય માસ્ટરસ્ટ્રોક રમી શકે છે. FCRA બિલ પર કોંગ્રેસ આરપારની લડાઈના મૂડમાં છે, જ્યારે ડિલિમિટેશન બિલ વસ્તીના ધોરણે લોકસભા બેઠકોના પુનઃનિર્માણ સાથે જોડાયેલું છે, જેનાથી દક્ષિણ ભારતીય રાજ્યો ચિંતિત છે.
સંસદમાં 11થી 13 ઓગસ્ટે કંઈ મોટું થવાના એંધાણ!
યુક્રેનનો રશિયાના ઓઇલ કેન્દ્ર પર 1200 કિમી દૂરથી ડ્રોન હુમલો
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેને રશિયાના તાતારસ્થાન ક્ષેત્રના 'નિઝનેકામસ્ક' (Nizhnekamsk) શહેર પર 1200 કિલોમીટર દૂરથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં 12 લોકોના મોત થયા છે અને 39 ઘાયલ થયા છે. આ શહેર રશિયાનું મહત્વપૂર્ણ તેલ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ કેન્દ્ર છે. યુક્રેનની આ રણનીતિ રશિયાની ઓઇલ રિફાઇનિંગ ક્ષમતાને નુકસાન પહોંચાડીને આર્થિક દબાણ લાવવાની છે, જેથી પ્રમુખ પુતિનને વાટાઘાટો માટે મજબૂર કરી શકાય.
યુક્રેનનો રશિયાના ઓઇલ કેન્દ્ર પર 1200 કિમી દૂરથી ડ્રોન હુમલો
એક સમયે ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવનાર 'ગુરુ' ગેરી, હવે શ્રીલંકા સાથે ભારતને હરાવશે!
ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી ટેસ્ટ શ્રેણી પહેલાં, 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમના પૂર્વ કોચ ગેરી ક્રિર્સ્ટન શ્રીલંકન ટીમના હેડ કોચ તરીકે જોવા મળ્યા. તેઓ ભારતીય ટીમની પ્રેક્ટિસ મેચ નિહાળી રહ્યા હતા. એક સમયે ભારતીય ટીમને ચેમ્પિયન બનાવનાર ગેરી હવે શ્રીલંકા માટે ભારત સામે વિજય રણનીતિ ઘડશે. આ બદલાયેલી ભૂમિકામાં, તેઓ પોતાની ટીમની ખામીઓ શોધીને તેને પરાસ્ત કરવાનો પ્રયાસ કરશે. તેમની હાજરીએ ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.
એક સમયે ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવનાર 'ગુરુ' ગેરી, હવે શ્રીલંકા સાથે ભારતને હરાવશે!
વડોદરા કોર્પોરેશનની મુલાકાતે ચાઇનાનું પ્રતિનિધિમંડળ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુલાકાત લેવા આવેલા ચીનના પ્રતિનિધિમંડળે ભારત સાથેના આર્થિક અને વેપારી સંબંધોને વધુ મજબૂત બનાવવા તથા ઇકોનોમિક ટ્રેડ વધારવા પર ભાર મૂક્યો. આ મુલાકાતમાં કૈલાસ માનસરોવર યાત્રા અને ચીનની મુલાકાત માટે આમંત્રણ અપાયું. વડોદરાના નવરાત્રી મહોત્સવમાં પણ ચીની પ્રતિનિધિઓને આમંત્રણ અપાયું. મેયર ગીતાબેન મકવાણા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના અધિકારીઓ હાજર રહ્યા.
વડોદરા કોર્પોરેશનની મુલાકાતે ચાઇનાનું પ્રતિનિધિમંડળ
પેપર લીક મુદ્દે ભાજપની ઊલટી ગંગા!
ઝારખંડમાં પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનને ભારતીય જનતા પાર્ટી (BJP) ટેકો આપી રહી છે. આંદોલનકારી વિદ્યાર્થીઓ સમગ્ર સિસ્ટમમાં ફેરફાર અને સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલા આંદોલનમાં મચક ન આપનારી BJP હવે રાંચીના આંદોલનમાં સક્રિય રીતે જોડાઈ છે. BJPના પ્રદેશ પ્રમુખ સહિત અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી છે. રાજ્ય સરકારના મંત્રીઓએ BJP પર આંદોલનને હાઈજેક કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે BJP CM હેમંત સોરેન પાસેથી વિદ્યાર્થીઓને ન્યાય આપવા અંગે સ્પષ્ટતા માંગી રહી છે.
પેપર લીક મુદ્દે ભાજપની ઊલટી ગંગા!
PM મોદીએ બોક્સર લવલીના બોરગોહેનને રેસ્ટોરન્ટ વિવાદ વિશે પૂછ્યું
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં સિલ્વર મેડલ વિજેતા બોક્સર લવલીના બોરગોહેનની PM મોદીએ પ્રશંસા કરી. લવલીનાએ ગ્લાસગોના 'મિસ્ટર સિંહ્સ ઇન્ડિયા' રેસ્ટોરન્ટમાં ભારતના ખોટા નકશા સામે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં ઉત્તર-પૂર્વ ભાગ ગાયબ હતો. PM મોદીએ ખેલાડીઓ સાથેની મુલાકાતમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો અને હળવાશથી પૂછ્યું, 'શું થયું, તમે રેસ્ટોરન્ટવાળા સાથે ઝઘડો કરી રહ્યા હતા?' લવલીનાએ નકશાની ભૂલ દર્શાવી, જેના પર PM મોદીએ તેની સજાગતા અને દેશપ્રેમની પ્રશંસા કરી. રેસ્ટોરન્ટ મેનેજમેન્ટે માફી માંગી અને નકશો સુધાર્યો.
PM મોદીએ બોક્સર લવલીના બોરગોહેનને રેસ્ટોરન્ટ વિવાદ વિશે પૂછ્યું
શશી થરૂરના નિવેદનથી કોંગ્રેસમાં ખળભળાટ
કોંગ્રેસના સાંસદ શશી થરૂરના રાહુલ ગાંધીના 'છાત્રોં કી ગૂંજ' કાર્યક્રમ અંગેના નિવેદનથી પાર્ટીમાં ચર્ચા શરૂ થઈ છે. થરૂરે યુવાનો, ખાસ કરીને Gen Z સાથે જોડાણ અંગે આત્મમંથનની જરૂરિયાત જણાવી હતી. આ નિવેદન પર, પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે તમામ નેતાઓને જાહેરમાં નિવેદન આપતી વખતે સાવચેતી રાખવાની કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, આવા નિવેદનો ભાજપને કોંગ્રેસ કે રાહુલ ગાંધી પર નિશાન સાધવાની તક ન આપવા જોઈએ. વેણુગોપાલે કોંગ્રેસના નેતાઓને પક્ષની વિચારધારા અને શિસ્તમાં રહીને નિવેદનો આપવા કહ્યું, જેથી ભાજપને ખુશી ન મળે.
શશી થરૂરના નિવેદનથી કોંગ્રેસમાં ખળભળાટ
ખરાબ હવામાન અને રસ્તાઓને કારણે અમરનાથ યાત્રા 2026 અનિશ્ચિતકાળ માટે મોકૂફ
ઉત્તર કાશ્મીરના બાલતાલ અને દક્ષિણ કાશ્મીરના પહલગામ એમ બંને રૂટ પરના ટ્રેક ક્ષતિગ્રસ્ત થવાને કારણે અને હવામાન વિભાગની પ્રતિકૂળ આગાહીને પગલે અમરનાથ યાત્રા અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેઝ કેમ્પ તરફ જતા રસ્તાઓના સમારકામમાં સમય લાગશે. યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ અને બેઝ કેમ્પમાં રહેલા તમામ શ્રદ્ધાળુઓને ઘરે પરત ફરવાની વિનંતી કરવામાં આવી છે. હાલમાં, માત્ર ઘાટીમાંથી યાત્રિકોને સુરક્ષિત રીતે પરત લાવતા વાહનોના કન્વોયને જ મંજૂરી છે.
ખરાબ હવામાન અને રસ્તાઓને કારણે અમરનાથ યાત્રા 2026 અનિશ્ચિતકાળ માટે મોકૂફ
ભારતમાં કિંગફિશરની 12 પ્રજાતિઓ!
ભારતમાં કિંગફિશર માત્ર ચમકદાર વાદળી પક્ષી નથી. તેની 12 પ્રજાતિઓ વિવિધ વાતાવરણમાં જોવા મળે છે – ખેતરો, ગાઢ જંગલો, પર્વતીય નદીઓ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં. કેટલાક માછલી પકડે છે, જ્યારે અન્ય દેડકા, ગરોળી અને જીવાતો ખાય છે. તેમની ચાંચ, રંગ, શિકારની રીત અને રહેઠાણ તેમને અલગ પાડે છે. વ્હાઇટ-થ્રોટેડ, કોમન, પાઈડ, સ્ટોર્ક-બિલ્ડ, ઓરિએન્ટલ ડ્વાર્ફ, બ્લુ-ઈયર્ડ, બ્લાયથ્સ, ક્રેસ્ટેડ, બ્લેક-કેપ્ડ, બ્રાઉન-વિંગ્ડ, કોલર્ડ અને રડ્ડી કિંગફિશર ભારતના કુદરતી વૈવિધ્યનું સુંદર દર્શન કરાવે છે.
ભારતમાં કિંગફિશરની 12 પ્રજાતિઓ!
ઇંગ્લેન્ડના બેટર ટોબી આલ્બર્ટની વન-ડેમાં તોફાની બેટિંગ
ઇંગ્લેન્ડના બેટ્સમેન ટોબી આલ્બર્ટે વનડે કપમાં સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકારીને સનસનાટી મચાવી દીધી છે. હેમ્પશાયર તરફથી રમતા Toby Albert એ 37 બોલમાં 86 રન ફટકાર્યા, જેમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગા શામેલ હતા. આ સાથે હેમ્પશાયરની ટીમે 383 રન બનાવ્યા અને સસેક્સને 51 રનથી હરાવી દીધું. ટોબી આલ્બર્ટની આ સિદ્ધિ બે અલગ-અલગ ઓવરમાં સતત 6 બોલ પર 6 છગ્ગા ફટકારીને હાંસલ થઈ હતી. ટોબી આલ્બર્ટે 21 રનના અંગત સ્કોર પર એક કેચ પણ ગુમાવ્યો હતો.