કતાર બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર સુરતના સની પટેલની અંતિમ યાત્રામાં ઉમટી જનમેદની, સમગ્ર ભીમપોર બન્યું ગમગીન
કતાર બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર સુરતના સની પટેલની અંતિમ યાત્રામાં ઉમટી જનમેદની, સમગ્ર ભીમપોર બન્યું ગમગીન
Published on: 27th June, 2026

સુરતના ભીમપોરના સની પટેલનું કતારના ગેસ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં મોત થતાં તેમનો પાર્થિવ દેહ ભારતીય દૂતાવાસના સહયોગથી વતન લાવવામાં આવ્યો હતો. માત્ર સાત મહિના પહેલાં પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેઓ કતાર નોકરીએ ગયા હતા. વિસ્ફોટ બાદ શરૂઆતમાં ગુમ થયેલા સનીનો મૃતદેહ હોસ્પિટલમાંથી મળ્યો હતો. ભીમપોર ખાતે તેમના અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા, જ્યારે પરિવારજનોના આક્રંદથી સમગ્ર વિસ્તાર શોકમગ્ન બન્યો હતો.