સુદાનમાં ગૃહયુદ્ધ બાદ માનવીય સંકટની સ્થિતિ
સુદાનમાં ગૃહયુદ્ધ બાદ માનવીય સંકટની સ્થિતિ
Published on: 27th June, 2026

સુદાનમાં ગૃહયુદ્ધ વધુ ગંભીર બનતાં RSFએ અલ-ઓબેદ શહેરને ત્રણ બાજુથી ઘેરી લીધું છે, જ્યારે ડ્રોન હુમલામાં પાંચ ઓઈલ ટેન્ક ફાર્મ નષ્ટ થયા છે. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રે અહીં અલ-ફાશર જેવી નરસંહારની આશંકા વ્યક્ત કરી છે. 2023થી ચાલતા યુદ્ધમાં લાખો લોકોના મોત અને 1.4 કરોડથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. અલ-ઓબેદ પર કબજો RSF માટે મોટી જીત બની શકે છે, જ્યારે માનવીય સંકટ વધુ વિકરાળ બનવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.