નેપાળ પૂર: 26 ગુજરાતીઓ સંપર્કવિહોણા, અમદાવાદ, સુરત, વડોદરામાં ચિંતા
નેપાળ પૂર: 26 ગુજરાતીઓ સંપર્કવિહોણા, અમદાવાદ, સુરત, વડોદરામાં ચિંતા
Published on: 28th August, 2026

નેપાળ અને તિબેટ સરહદે ગ્લેશિયર તૂટવા અને ભોટેકોશી નદીમાં આવેલા ભીષણ પૂર બાદ ગુજરાતના પરિવારોમાં ચિંતા પ્રસરી છે. કૈલાશ માનસરોવર યાત્રા તેમજ નેપાળ પ્રવાસે ગયેલા કુલ 26 ગુજરાતી નાગરિકો સંપર્કવિહોણા હોવાની વિગતો ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરાઈ છે. રિપોર્ટ મુજબ, મોટાભાગના પ્રવાસીઓ રસુવાગઢી-કેરુંગ બોર્ડર અને ફ્રેન્ડશિપ બ્રિજ વિસ્તારમાં હતા, જ્યાં પૂરે ભારે તબાહી મચાવી છે. ગુજરાત સરકાર વિદેશ મંત્રાલય અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં છે.