ગુજરાતના 4 સ્થળોથી ભિક્ષુકમુક્ત અભિયાન શરૂ
ગુજરાતના 4 સ્થળોથી ભિક્ષુકમુક્ત અભિયાન શરૂ
Published on: 28th August, 2026

ગુજરાતના મુખ્ય ધાર્મિક અને પ્રવાસન સ્થળો પર ભિક્ષાવૃત્તિ એક મોટી સામાજિક સમસ્યા છે. આ સ્થિતિ બદલવા અને ભિક્ષાવૃત્તિમાં ધકેલાયેલા લોકોને સન્માનજનક જીવન આપવા કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે 'ભિક્ષાવૃત્તિ મુક્ત અભિયાન' શરૂ કર્યું છે. પ્રથમ તબક્કામાં વડોદરા, ગીર સોમનાથ, એકતાનગર અને પાવાગઢની પસંદગી થઈ છે. આ લોકોને એકત્ર કરી, કાઉન્સિલિંગ આપી, આધાર, રેશન અને આયુષ્માન કાર્ડ જેવા દસ્તાવેજ બનાવી, આશ્રય આપી પ્રધાનમંત્રી દક્ષ યોજના હેઠળ તાલીમ અપાશે જેથી તેઓ સ્વનિર્ભર બની શકે.