સુરતમાં રક્ષાબંધનના બીજા દિવસે 'વાસી બળેવ'ની 88 વર્ષ જૂની કરુણ ઘટના
સુરતમાં રક્ષાબંધનના બીજા દિવસે 'વાસી બળેવ'ની 88 વર્ષ જૂની કરુણ ઘટના
Published on: 28th August, 2026

સુરતમાં રક્ષાબંધનના બીજા દિવસે 'વાસી બળેવ' ઉજવવાની પરંપરા પાછળ 1938ની તાપી બોટ ટ્રેજેડી જોડાયેલી છે. 12 ઓગસ્ટ, 1938ના રોજ બળેવના દિવસે તાપી નદીમાં વધુ પડતા લોકો હોડીમાં બેસતા હોડી પલટી ગઈ હતી. આ ગોઝારી દુર્ઘટનામાં 80થી વધુ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાની યાદમાં, કેટલાક મૂળ સુરતી પરિવારોએ રક્ષાબંધનના બીજા દિવસે બળેવ ઉજવવાનું શરૂ કર્યું, જે 'વાસી બળેવ' તરીકે ઓળખાય છે. આ પરંપરા આજે પણ અમુક પરિવારોમાં જળવાઈ રહી છે, જે એક કરુણ સ્મૃતિ અને શ્રદ્ધાંજલિ છે.