7 જૂનના દિવસને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન તરીકે ઊજવવામાં આવે છે. જીવન જીવવા માટે ખોરાક જરૂરી છે. પરંતુ બે સમયનું જમવાનું મળી રહે એ જ ખાદ્ય સુરક્ષા નથી. ખાદ્ય સુરક્ષામાં નીચેનાં પાસાં સમાવિષ્ટ થાય છે.
-ખાદ્ય ઉપલબ્ધતાઃ દેશમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન, ખાદ્ય પદાર્થોની આયાત અને સરકારી ભંડારોમાં સંચિત સ્ટોક.
-ખાદ્યપદાર્થોની પ્રાપ્યતાઃ ખાદ્યપદાર્થો દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે.
-ખાદ્યપદાર્થ મેળવવાનું સામર્થ્ય: દરેક વ્યક્તિ પોતાના માટે પૂરતો અને પૌષ્ટિક ખોરાક મેળવવા સમર્થ હોય.
ખાદ્યપદાર્થોના સંતુલિત અને સુરક્ષિત ધોરણો જાળવી રાખવાં, જાગૃતિ ફેલાવવી અને ખરાબ ગુણવત્તાવાળા તથા અપૂરતા પોષણવાળા ખોરાકથી નિપજતા મૃત્યુનો આંક ઘટાડવો તે આ દિવસની ઉજવણીનો હેતુ છે.
...