સૌરાષ્ટ્રમાંથી વાર્ષિક ૧૭ કરોડ લીલા નાળિયેરનું વેચાણ
સૌરાષ્ટ્રમાંથી વાર્ષિક ૧૭ કરોડ લીલા નાળિયેરનું વેચાણ
Published on: 02nd September, 2026

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં નાળિયેરીનું ઉત્પાદન અને વેચાણ મોટા પાયે થાય છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો નાળિયેરીના વાવેતરમાં પ્રથમ ક્રમે છે. કુલ ૨૮૦૦૦ હેક્ટરમાં થતા વાવેતર પૈકી ૧૭૫૦૦ હેક્ટર ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં છે. દર વર્ષે સૌરાષ્ટ્રમાંથી અંદાજે ૧૭ કરોડ લીલા નાળિયેર દેશભરમાં વેચાય છે, જેમાં જૂનાગઢ જિલ્લાનો ફાળો સાત કરોડ જેટલો છે. સરકાર દ્વારા નાળિયેરી બીટી જાતને પ્રોત્સાહન આપવા માટે આકર્ષક ઈન્સેટિવ્સ આપવામાં આવી રહ્યા છે, જેના કારણે વાવેતરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.