જામનગર જિલ્લામાં 3.36 લાખ હેક્ટરમાં વાવેતર
જામનગર જિલ્લામાં 3.36 લાખ હેક્ટરમાં વાવેતર
Published on: 26th August, 2026

જામનગર જિલ્લામાં 3,36,989 હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો વાવેલા પાકોને મોટું નુકસાન થઈ શકે છે. સૌથી વધુ 2,16,926 હેક્ટરમાં મગફળી અને 89,627 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. હાલરના ખેડૂતોને સિંચાઈના પાણીની તંગીનો સામનો કરવો પડી શકે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ 2,13,860 હેક્ટરમાં વાવેતર થયું છે, પરંતુ માત્ર 6.41% વરસાદ નોંધાયો છે, જે ચિંતાનો વિષય છે.