નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ: 377 ખેડૂતોને તાલીમ
નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ: 377 ખેડૂતોને તાલીમ
Published on: 26th August, 2026

નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ, નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ટકાઉ પદ્ધતિઓનું માર્ગદર્શન પહોંચાડવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડિયાપાડા ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં દેડિયાપાડા, નાંદોદ અને સાગબારા તાલુકાના 377 ખેડૂતોએ ભાગ લીધો. નિષ્ણાતોએ પ્રાકૃતિક ખેતીના ઘટકો, પાક સંરક્ષણ, જીવામૃત અને નીમાસ્ત્ર્ર જેવી પદ્ધતિઓ અને તેના અમલીકરણ પર વિસ્તૃત માહિતી આપી. ખેડૂતોએ ડેમો ફાર્મની મુલાકાત પણ લીધી.