મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી પ્રિયંકા ચોપડા
મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી પ્રિયંકા ચોપડા
Published on: 12th August, 2026

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનાસે મુંબઈ ખાતે તેની પિતરાઈ બહેન મન્નારા સાથે પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, પ્રિયંકાએ પરંપરાગત ગુલાબી સલવાર સૂટ પહેર્યો હતો. જોકે, તેમની પુત્રી માલતી મેરી ચોપડા જોવા મળી નહોતી. ભારે સુરક્ષા વચ્ચે પ્રિયંકા મંદિરમાં પહોંચી હતી, જ્યાં મોટી સંખ્યામાં ચાહકો તેની એક ઝલક મેળવવા ઉમટી પડ્યા હતા. પ્રિયંકાએ બહાર નીકળી ફોટોગ્રાફર્સ અને ચાહકોનું અભિવાદન કર્યું અને પછી રવાના થઈ ગઈ.