વડોદરા કોર્પોરેશનની મુલાકાતે ચાઇનાનું પ્રતિનિધિમંડળ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુલાકાત લેવા આવેલા ચીનના પ્રતિનિધિમંડળે ભારત સાથેના આર્થિક અને વેપારી સંબંધોને વધુ મજબૂત બનાવવા તથા ઇકોનોમિક ટ્રેડ વધારવા પર ભાર મૂક્યો. આ મુલાકાતમાં કૈલાસ માનસરોવર યાત્રા અને ચીનની મુલાકાત માટે આમંત્રણ અપાયું. વડોદરાના નવરાત્રી મહોત્સવમાં પણ ચીની પ્રતિનિધિઓને આમંત્રણ અપાયું. મેયર ગીતાબેન મકવાણા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના અધિકારીઓ હાજર રહ્યા.
વડોદરા કોર્પોરેશનની મુલાકાતે ચાઇનાનું પ્રતિનિધિમંડળ
હૉર્મુઝમાં ૧૫૦૦ જહાજોમાં ‘બાયોફાઉલિંગ’નું જોખમ!
હૉર્મુઝ જળમાર્ગ બંધ થવાથી ફારસની ખાડીમાં ૧૫૦૦થી વધુ કોમર્શિયલ જહાજો લાંબા સમયથી અટવાયેલા છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ સ્થિતિ દરિયાઈ જીવસૃષ્ટિ માટે ‘બાયોફાઉલિંગ’નું નવું જોખમ ઊભું કરી રહી છે. જહાજોના નીચેના ભાગમાં ચોંટી ગયેલા સૂક્ષ્મજીવો, શૈવાળ અને પરજીવીઓ જ્યારે આ જહાજો વૈશ્વિક બંદરો તરફ રવાના થશે ત્યારે નવા વિસ્તારોમાં ફેલાઈ શકે છે. ફારસની ખાડીનું ગરમ પાણી આ સૂક્ષ્મજીવોના વિકાસ માટે અનુકૂળ હોવાથી, આ જહાજો ‘સુપર-સ્પ્રેડર’ સાબિત થઈ શકે છે, જે સ્થાનિક દરિયાઈ જીવો માટે ઘાતક બની શકે છે અને માછીમારી ઉદ્યોગને અસર કરી શકે છે.
હૉર્મુઝમાં ૧૫૦૦ જહાજોમાં ‘બાયોફાઉલિંગ’નું જોખમ!
અરૂણાચલના નકશા પર ભડક્યું ચીન!
ભારત દ્વારા સત્તાવાર નકશામાં અરૂણાચલ પ્રદેશના 27 સ્થળોના નામો ઉમેરવા પર ચીન ભડક્યું છે. ચીન આને પોતાના 'ઝાંગનાન' ક્ષેત્રમાં એકતરફી કાર્યવાહી ગણાવી રહ્યું છે અને ટીકા કરી રહ્યું છે. ચીની નિષ્ણાતોના મતે, ભારતનું આ પગલું બંને દેશો વચ્ચે સુધરી રહેલા સંબંધોને અસર કરી શકે છે. 'સરવે ઑફ ઇન્ડિયા' દ્વારા અપડેટ કરાયેલા નકશામાં 4 પહાડી દર્રા અને 1 ઊંચાઈ પર આવેલી ઝીલ સહિત 27 સ્થળોના નામ સામેલ કરાયા છે. ભારતનો ઉદ્દેશ્ય આ સ્થળોની સાચી ઓળખ અને ભૌગોલિક-ઐતિહાસિક મહત્ત્વતા વિશે જાગરૂકતા વધારવાનો છે. ચીન મેકમોહન રેખાને ગેરકાયદેસર માને છે અને અરૂણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો ગણાવે છે.
અરૂણાચલના નકશા પર ભડક્યું ચીન!
ધાર-ઉજ્જૈન હાઇવે અકસ્માતમાં પંચમહાલના 6 યુવાનોના મોત!
ધાર-ઉજ્જૈન ફોરલેન હાઇવે પર થયેલા ભયાનક અકસ્માતમાં ગુજરાતના પંચમહાલના 6 યુવાનોના મોત નીપજ્યા હતા. આ યુવાનો ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરીને કારમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે રોંગ સાઈડથી આવતા ટ્રક સાથે તેમની કારની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફુરચા ઉડી ગયા હતા અને કારમાં સવાર તમામ યુવાનો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. ગત મોડી રાત્રે મૃતદેહોને વતન લાવ્યા બાદ આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
ધાર-ઉજ્જૈન હાઇવે અકસ્માતમાં પંચમહાલના 6 યુવાનોના મોત!
જામનગરમાં ચાંદીપુરા વાઇરસથી 9 બાળકોના મોત!
જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં વધુ 3 બાળકોના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 9 થયો છે. રાજકોટમાં સારવાર લઈ રહેલા ધ્રોલના એક બાળકમાં ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે. અત્યાર સુધી કુલ 9 પૈકી 1 કેસ પોઝિટિવ નોંધાયો છે, જ્યારે 1 રિપોર્ટ આવવાનો બાકી છે. આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી ગભરાયા વિના બાળકોમાં તાવ, ઝાડા, ઉલટી કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલ સંપર્ક કરવા અપીલ કરી છે.
જામનગરમાં ચાંદીપુરા વાઇરસથી 9 બાળકોના મોત!
કોલંબિયામાં 6.8 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ!
કોલંબિયામાં સોમવારે 6.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના આંચકા દેશના અનેક શહેરોમાં અનુભવાયા હતા. ભૂકંપના તીવ્ર આંચકા મેડેલિન, બોગોટા અને કેલી સહિતના વિસ્તારોમાં અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મેડેલિનમાં સાવચેતીના ભાગરૂપે કેટલીક ઇમારતો ખાલી કરાવવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ચોકો ક્ષેત્રના 'સેન જોસ ડેલ પાલમાર' પાસે 82 કિલોમીટરની ઊંડાઈએ હતું. પ્રાથમિક અહેવાલો મુજબ, કોઈ મોટા નુકસાન કે જાનહાનિના સમાચાર નથી.
કોલંબિયામાં 6.8 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ!
અમરેલીમાં સિંહણો 'સુંદરી' અને 'રૂપસુંદરી'ની યાદમાં અનોખું સ્મારક
અમરેલીના ભેરાઈ ગામમાં સિંહણો 'સુંદરી' અને 'રૂપસુંદરી'ની યાદમાં એક અનોખું સ્મારક બનાવવામાં આવ્યું છે, જે વિશ્વમાં સિંહણો માટેનું પ્રથમ સ્મારક છે. 2013માં રેલવે અકસ્માતમાં મૃત્યુ પામેલી આ સિંહણોના માનમાં આ મંદિરની સ્થાપના થઈ હતી. સ્થાનિક લોકો મૃત સિંહણોને માતાજીના વાહન માની પૂજે છે. દર વર્ષે વિશ્વ સિંહ દિવસ, 10મી ઓગસ્ટે, અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી આવે છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આ સ્મારક સિંહ પ્રેમનું પ્રતિક છે.
અમરેલીમાં સિંહણો 'સુંદરી' અને 'રૂપસુંદરી'ની યાદમાં અનોખું સ્મારક
અમરેલીમાં 2 ગમખ્વાર અકસ્માતમાં કુલ 11 લોકો ઈજાગ્રસ્ત!
અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પહેલી ઘટનામાં લીલીયા તરફ જતી બોલેરો ગાડી પલટી મારતાં 9 લોકોને ઈજા પહોંચી, જેમાંથી એકની હાલત ગંભીર છે. બીજી ઘટના ધારી પાસે બની, જ્યાં હિટ એન્ડ રન કેસમાં બાઈક સવાર બે લોકોને ગંભીર ઈજા થઈ છે. બંને ઘટનાઓમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલીમાં 2 ગમખ્વાર અકસ્માતમાં કુલ 11 લોકો ઈજાગ્રસ્ત!
દમણના દરિયામાં ડૂબ્યા 2 તરુણ!
દમણના રીંગણવાડા ગામ પાસે દરિયામાં ન્હાવા પડેલા 4 તરુણો પૈકી 2 દરિયાના તોફાની મોજામાં તણાઈ ગયા હતા. કિનારે તૈનાત લાઇફગાર્ડે તાત્કાલિક કાર્યવાહી કરી 1 તરુણને સુરક્ષિત બહાર કાઢી લીધો હતો. જોકે, બીજો એક તરુણ, આકાશકુમાર, હજુ લાપતા છે. ફાયર બ્રિગેડની ટીમ બોટની મદદથી તેની શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ભાળ મળી નથી. આ ઘટનાએ પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે ચિંતા જગાવી છે. પ્રશાસન દ્વારા દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ હોવા છતાં આ દુર્ઘટના બની છે.
દમણના દરિયામાં ડૂબ્યા 2 તરુણ!
ભારતીયો પર સરેરાશ ₹4.77 લાખનું દેવું, 28 કરોડ લોકોએ લીધી લોન!
આધુનિક યુગમાં સરળ હપ્તા અને તાત્કાલિક લોનની સુવિધાઓએ ભારતીય પરિવારોના નાણાકીય આયોજનને બદલી નાખ્યું છે. બચત પર નિર્ભર મધ્યમ વર્ગ હવે જરૂરિયાતો માટે ક્રેડિટ પર નિર્ભર થઈ રહ્યો છે. લોકસભામાં રજૂ થયેલા આંકડા મુજબ, યુનિક બોરોઅર્સ 28.3 કરોડને પાર, જ્યારે વ્યક્તિ દીઠ સરેરાશ દેવું ₹4,77,583 થયું છે. છેલ્લા 4 વર્ષમાં Gold Loanમાં 6 ગણો ઉછાળો આવ્યો છે, જે દર્શાવે છે કે પરિવારો રોકડ જરૂરિયાતો માટે સોનાનો વધુ ઉપયોગ કરી રહ્યા છે.
ભારતીયો પર સરેરાશ ₹4.77 લાખનું દેવું, 28 કરોડ લોકોએ લીધી લોન!
લોનનો એક EMI ચૂકી જવાથી CIBIL સ્કોર પર શું અસર થાય છે?
આજકાલ લોકો નાની-મોટી જરૂરિયાતો માટે પણ લોન લે છે, પરંતુ EMI સમયસર ભરવાની જવાબદારી મોટી છે. એક EMI ચૂકી જવાથી CIBIL સ્કોર પર અસર પડી શકે છે, જેનાથી ભવિષ્યમાં લોન મળવી મુશ્કેલ બની શકે છે. માત્ર એક EMI ચૂકી જવાથી સ્કોર બગડે છે કે નહીં તે થોડું જટિલ છે. જો તમે EMIની તારીખના એક-બે દિવસમાં ભરી દો છો, તો સામાન્ય રીતે કોઈ અસર થતી નથી. પરંતુ, જો 30 દિવસથી વધુ વિલંબ થાય, તો CIBIL સ્કોર 50-100 પોઇન્ટ ઘટી શકે છે અને આ અસર 3 વર્ષ સુધી રહી શકે છે.
લોનનો એક EMI ચૂકી જવાથી CIBIL સ્કોર પર શું અસર થાય છે?
અમદાવાદના આનંદનગર દુષ્કર્મ આરોપી સામે વધુ એક ગુનો
અમદાવાદના આનંદનગર દુષ્કર્મ કેસમાં ઝડપાયેલ આરોપી પુરાવા રિકવરી દરમિયાન પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. હેબતપુર ખાતે મોબાઈલ રિકવરી પંચનામા વખતે આરોપીએ PI ની સર્વિસ પિસ્તોલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો, જેમાં થયેલી ઝપાઝપીમાં બે રાઉન્ડ ફાયરિંગ થયું. જેમાં ફરજ પરના કોન્સ્ટેબલ અને આરોપીને ગોળી વાગતા બંને હોસ્પિટલમાં દાખલ કરાયા. પોલીસે આરોપી સામે નવો ગુનો નોંધી, એવન સિક્યુરિટી એજન્સી સામે પણ કાર્યવાહી શરૂ કરી છે, જેનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
અમદાવાદના આનંદનગર દુષ્કર્મ આરોપી સામે વધુ એક ગુનો
રશિયામાં 1000 કિમી અંદર યુક્રેનનો ઘાતક ડ્રોન હુમલો
યુક્રેને રશિયાની સરહદથી 1000 કિલોમીટર અંદર મધ્ય રશિયાના તાતારસ્તાન વિસ્તારમાં ઘૂસીને ડ્રોનથી મોટો હુમલો કર્યો છે. નિઝનેકામસ્ક શહેરમાં થયેલા આ હુમલામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને 39 લોકો ઘાયલ થયા છે. આ હુમલાથી રશિયાના મહત્વપૂર્ણ ઓઇલ રિફાઇનિંગ સેન્ટર અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ તબાહ થયા છે, જેના કારણે ઇંધણની અછત ઊભી થઈ છે. યુક્રેનનું લક્ષ્ય રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વાટાઘાટો માટે મજબૂર કરવાનું છે. બીજી તરફ, રશિયાએ પણ યુક્રેન પર વળતો હુમલો કર્યો છે.
રશિયામાં 1000 કિમી અંદર યુક્રેનનો ઘાતક ડ્રોન હુમલો
૨૨ વર્ષની યુવતી ઓનલાઈન ગેમિંગ દ્વારા બની ૧૪ હજાર કરોડની માલિક
દક્ષિણ કોરિયાની કિમ જંગ યુન, માત્ર ૨૨ વર્ષની ઉંમરે વિશ્વની સૌથી યુવા ટેક અબજોપતિ બની છે. Forbes ની 2026 World's Billionaires List માં તેનું નામ નોંધાયું છે. તેની ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ તેના પિતા દ્વારા સ્થાપિત ગેમિંગ કંપની Nexon માંથી મળેલી હિસ્સેદારીને કારણે છે. Nexon, MapleStory અને KartRider જેવી લોકપ્રિય ગેમ્સ બનાવી ચૂકી છે. ૨૦૨૨માં પિતાના અવસાન બાદ તેને અને તેની બહેનને કંપનીમાં મોટી હિસ્સેદારી મળી.
૨૨ વર્ષની યુવતી ઓનલાઈન ગેમિંગ દ્વારા બની ૧૪ હજાર કરોડની માલિક
સુરત નાસીરનગર ભૂતિયા ડિમોલિશનમાં હાઈકોર્ટનું કડક વલણ
સુરત નાસીરનગર ભૂતિયા ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટે સરકાર, કોર્પોરેશન અને પોલીસને ફરી કડક સૂચના આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો ઉચ્ચ અધિકારીઓ યોગ્ય અને સાચો જવાબ નહીં આપે, તો તેમણે નોકરી ગુમાવવી પડશે અને ખર્ચ પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવો પડશે. આ બાબતે જનતાના પૈસા નહીં બગડે. મે મહિનામાં નાસીરનગરમાં 100થી વધુ મકાનો તોડી પડાયા હતા, જે અંગે રહીશોએ યોગ્ય પ્રક્રિયા વિના ડિમોલિશનનો આરોપ લગાવ્યો હતો. આ મામલે અધિકારીઓની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. કોર્ટે અધિકારીઓને વ્યક્તિગત જવાબદારીની ચેતવણી આપી છે અને અસરગ્રસ્તોના પુનર્વસન માટે પગલાં લેવા નિર્દેશ આપ્યો છે.
સુરત નાસીરનગર ભૂતિયા ડિમોલિશનમાં હાઈકોર્ટનું કડક વલણ
અમદાવાદ ધોળકા કેનાલમાં 90 મીટરનું ભંગાણ
અમદાવાદ નજીક ધોળકા શાખા નહેરમાં 90 મીટર લાંબુ ભંગાણ પડતાં તંત્ર દોડતું થયું છે. ભારે વરસાદ બાદ આ ઘટનાએ વિકાસના સરકારી દાવાઓની પોલ ખોલી દીધી છે. ખેડૂતોમાં નહેરોની નબળી ગુણવત્તા અને કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી નહેરો થોડા વરસાદમાં જ તૂટી પડવી એ ઈજનેરી ધોરણો અને સામગ્રીની ગુણવત્તા પર મોટો સવાલ ઊભો કરે છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, જેથી ખરીફ સિઝનમાં સિંચાઈનું પાણી અટકી ન જાય.
અમદાવાદ ધોળકા કેનાલમાં 90 મીટરનું ભંગાણ
અમદાવાદમાં અકસ્માત સર્જી લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ
અમદાવાદના કાલુપુરમાં ટુ-વ્હીલર ચાલકને ટક્કર મારી 2,39,000 રૂપિયાની લૂંટ ચલાવનાર ગેંગનો LCB ઝોન-3 પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં બે રીઢા આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટની રોકડ રકમ સહિત કુલ 3,05,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ જાણી જોઈને ફરિયાદીના વાહન સાથે ટક્કર મારી તેમને પાડી દીધા હતા અને ત્યારબાદ રોકડ ભરેલી થેલી ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. ઝડપાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમના સામે અગાઉ પણ ચોરી, મારામારી અને નકલી પોલીસ બની ગુના આચરવાના ગુના નોંધાયેલા છે.
અમદાવાદમાં અકસ્માત સર્જી લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ
રાષ્ટ્રપતિ ભવનના સ્વાતંત્ર્ય પર્વની આમંત્રણ કિટમાં 4 રાજ્યની પરંપરાગત કળા ઝળકી
દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા સમારોહ માટે ખાસ આમંત્રણ કિટ તૈયાર કરાઈ છે. અમદાવાદની National Institute of Design (NID)એ આ કિટમાં પોતાની કલાત્મક છાપ છોડી છે. NID અમદાવાદ દ્વારા ડિઝાઇન કરાયેલી આ કિટમાં ભારતની સાંસ્કૃતિક વિરાસત અને વિવિધતા રજૂ કરાઈ છે. 100થી વધુ કારીગરો અને NID ટીમનો સંયુક્ત પ્રયાસ છે. આ કિટ માત્ર નિમંત્રણ પત્ર નથી, પરંતુ ભારતની વિવિધતા, કારીગરોની કુશળતા અને સ્થાનિક પરંપરાઓને બિરદાવતું સર્જન છે. આ વર્ષની ખાસ કિટમાં ચાર રાજ્યોની કળાને સ્થાન મળ્યું છે: છત્તીસગઢની ‘ડોકરા’ અને લોહ શિલ્પ, ગોવાના ‘અઝુલેજો’ ટાઇલ આર્ટ, મધ્ય પ્રદેશની ‘ભીલ કળા’ અને મહારાષ્ટ્રની ‘વારલી કળા’.
રાષ્ટ્રપતિ ભવનના સ્વાતંત્ર્ય પર્વની આમંત્રણ કિટમાં 4 રાજ્યની પરંપરાગત કળા ઝળકી
વડોદરાના નારેશ્વર મંદિર પાસે દીપડાના દેખા દેવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ
વડોદરા જિલ્લાના પવિત્ર યાત્રાધામ નારેશ્વર ખાતે દીપડાએ ગ્રામજનોમાં ભયની લાગણી જગાવી છે. કરજણ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે દીપડો મંદિર પાસે આંટા ફેરા મારી રહ્યો છે. જોકે, દીપડાએ અત્યાર સુધી કોઈના પર હુમલો કર્યો નથી. ગઈકાલે રાત્રે ફરીથી મંદિર નજીક દીપડો દેખાતા એક ગ્રામજને તેનો વિડીયો ઉતાર્યો હતો. રસ્તા પાસે બેઠેલો દીપડો ઝાડીમાં અદ્રશ્ય થઈ ગયો હતો. ગ્રામજનોને સતર્ક રહેવા અને ફોરેસ્ટ વિભાગને કાર્યવાહી કરવા માટે કહેવાયું છે.
વડોદરાના નારેશ્વર મંદિર પાસે દીપડાના દેખા દેવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ
સુરતના જહાંગીરપુરાના ગટર સમસ્યા મુદ્દે 10 હજાર લોકો પાલિકા કચેરી સામે ધરણા કરશે
સુરતના જહાંગીરપુરાના સાંસ્કૃતિક આવાસમાં ગટરની ગંભીર સમસ્યા છેલ્લા દોઢ વર્ષથી યથાવત છે, જેના કારણે 10 હજારથી વધુ લોકો દુર્ગંધ અને ગંદકી વચ્ચે રહેવા મજબૂર છે. ગટરનું ગંદુ પાણી પીવાના બોરિંગ પાણીમાં ભળી જતાં સ્વાસ્થ્ય જોખમાયું છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસન મળતાં રહીશોનો ધીરજ ખૂટી પડ્યો છે. એક અઠવાડિયામાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો મોટી સંખ્યામાં લોકો પાલિકા કચેરીએ ધરણા પર બેસવાની ચીમકી આપી છે.
સુરતના જહાંગીરપુરાના ગટર સમસ્યા મુદ્દે 10 હજાર લોકો પાલિકા કચેરી સામે ધરણા કરશે
સુરતમાં પૂરથી વારંવાર જળબંબાકાર સર્જાતા વોર્ડ નં.18ના કોર્પોરેટરોની કમિશનર સમક્ષ રજૂઆત
સુરતમાં મીઠી ખાડીનું પૂર હવે કાયમી આફત બન્યું છે, જેના પગલે વોર્ડ નં. 18ના કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ વિસ્તૃત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં આશીર્વાદ માર્કેટથી આઉટર રિંગરોડ સુધી કન્ફાઈનિંગ વોલનું નિર્માણ, પમ્પિંગ સ્ટેશનનો વિકાસ, અને ખાડીની બોર્ડર લાઈન નિર્ધારિત કરી 9 મીટર સેટબેક સુનિશ્ચિત કરવાની માગણી કરાઈ છે. કોર્પોરેટરોએ જણાવ્યું કે, એકલદોકલ પગલાંના બદલે 'મીઠી ખાડી ઈન્ટિગ્રેટેડ ફ્લડ મેનેજમેન્ટ માસ્ટર પ્લાન' તૈયાર કરી તેનો અમલ થવો જોઈએ, જેમાં કન્ફાઈનિંગ વોલ, ફ્લડ ગેટ, ડી-સિલ્ટિંગ, અને અતિક્રમણ નિયંત્રણ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય.
સુરતમાં પૂરથી વારંવાર જળબંબાકાર સર્જાતા વોર્ડ નં.18ના કોર્પોરેટરોની કમિશનર સમક્ષ રજૂઆત
વડોદરા રાણા ક્રેડિટ સોસાયટી પ્રમુખ પર જૂની અદાવતે હુમલો
વડોદરા શહેરની રાણા કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ રદ થવાના મુદ્દે જૂની અદાવત રાખી, ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ભૂમિકાબેન રાણાના પિતા નરેશ રાણાએ મંડળીના પ્રમુખ જીતુભાઈ રાણા પર પથ્થરો મારી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. આ હુમલામાં પ્રમુખ જીતુભાઈ રાણાને સામાન્ય ઈજા પહોંચતા મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા રાણા ક્રેડિટ સોસાયટી પ્રમુખ પર જૂની અદાવતે હુમલો
યુક્રેનનો રશિયાના ઓઇલ કેન્દ્ર પર 1200 કિમી દૂરથી ડ્રોન હુમલો
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેને રશિયાના તાતારસ્થાન ક્ષેત્રના 'નિઝનેકામસ્ક' (Nizhnekamsk) શહેર પર 1200 કિલોમીટર દૂરથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં 12 લોકોના મોત થયા છે અને 39 ઘાયલ થયા છે. આ શહેર રશિયાનું મહત્વપૂર્ણ તેલ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ કેન્દ્ર છે. યુક્રેનની આ રણનીતિ રશિયાની ઓઇલ રિફાઇનિંગ ક્ષમતાને નુકસાન પહોંચાડીને આર્થિક દબાણ લાવવાની છે, જેથી પ્રમુખ પુતિનને વાટાઘાટો માટે મજબૂર કરી શકાય.
યુક્રેનનો રશિયાના ઓઇલ કેન્દ્ર પર 1200 કિમી દૂરથી ડ્રોન હુમલો
ઉકાઈ-કાકરાપાર યોજનાના 53 વર્ષ!
તાપી જિલ્લામાં સ્થિત ઉકાઈ-કાકરાપાર યોજના દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન છે. તાપી નદી પર બે તબક્કામાં બનેલી આ બહુહેતુક યોજના હેઠળ 1972માં ઉકાઈ બંધ પૂર્ણ થયું હતું અને 1973માં પાણી ભરવામાં આવ્યું. 7,497 મિલિયન ઘન મીટર સંગ્રહ શક્તિ ધરાવતા આ જળાશયથી 3,31,557 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થાય છે, જે ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાને સમૃદ્ધ બનાવે છે. આ યોજના વીજ ઉત્પાદન, પીવાનું પાણી અને ઔદ્યોગિક જરૂરિયાતો પણ પૂરી પાડે છે.
ઉકાઈ-કાકરાપાર યોજનાના 53 વર્ષ!
વડોદરાના દશરથ ખાતે બંધ ફ્લેટમાંથી ચોરો 15 લાખની મતા ચોરી ફરાર
વડોદરાના છાણીના દશરથ વિસ્તારમાં એક બંધ ફ્લેટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 15 લાખથી વધુની મતા ચોરી થયાનો બનાવ બન્યો છે. સુનિલભાઈ પટેલે પોલીસને જણાવ્યું કે તેઓ પરિવાર સાથે બહાર ગયા હતા. તેઓ પાછા ફર્યા ત્યારે ફ્લેટના તાળા તૂટેલા અને તિજોરી ખાલી મળી આવી હતી. ચોરો અંદાજે 12 તોલા સોનાના દાગીના, ચાંદીના દાગીના અને અઢી લાખ રોકડા લઈ ગયા હતા. છાણી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
વડોદરાના દશરથ ખાતે બંધ ફ્લેટમાંથી ચોરો 15 લાખની મતા ચોરી ફરાર
વડોદરા શહેરના વડીવાડી ગામમાં ભુવો પડતાં કન્સ્ટ્રક્શન ટ્રક ફસાયો
વડોદરા શહેરના વોર્ડ નંબર-8માં આવેલા વડીવાડી ગામ ખાતે મુખ્ય માર્ગ પર કન્સ્ટ્રક્શન સામાન ભરેલો આઇસર ટ્રક અચાનક ફસાઈ ગયો. રસ્તામાં ભુવો પડતાં આઇસરનું પાછળનું ટાયર જમીનમાં ખૂપી ગયું, જેના કારણે વાહનવ્યવહારને અસર થઈ. ડ્રાઇવરના જણાવ્યા મુજબ, ટ્રકમાં વધુ વજન ન હોવા છતાં રસ્તો ધસી જતાં ટાયર ખૂપી ગયું. ઘટનાસ્થળે ટ્રેક્ટર અને ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવ્યો. શહેરમાં રસ્તાઓની ગુણવત્તા સામે ફરી સવાલો ઉઠી રહ્યા છે.
વડોદરા શહેરના વડીવાડી ગામમાં ભુવો પડતાં કન્સ્ટ્રક્શન ટ્રક ફસાયો
વડોદરાના સમા-હરણી લિંક રોડ પર ત્રણ દિવસથી સિમેન્ટ ભરેલો ટ્રક ફસાયો
વડોદરા શહેરના સમા-હરણી લિંક રોડ પર સિગ્નસ શાળા પાસે છેલ્લા ત્રણ દિવસથી સિમેન્ટની બોરીઓ ભરેલો એક ટ્રક રસ્તા પર ફસાઈ ગયો છે. માર્ગ ઘસી જવાને કારણે ટ્રકના ટાયર જમીનમાં ખૂંપી ગયા છે, જેના લીધે વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. ટ્રકને બહાર કાઢવા માટે સિમેન્ટની બોરીઓ ખાલી કરવી પડશે, જેના માટે જરૂરી ટ્રેક્ટર અને મજૂરો ઉપલબ્ધ નથી. સિમેન્ટ મંગાવનાર બિલ્ડર દ્વારા પણ અસરકારક કાર્યવાહી થઈ નથી. આ પરિસ્થિતિમાં, સામાજિક કાર્યકરો ટ્રાફિક તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવી રહ્યા છે.
વડોદરાના સમા-હરણી લિંક રોડ પર ત્રણ દિવસથી સિમેન્ટ ભરેલો ટ્રક ફસાયો
જામનગર શહેરમાં હવામાનમાં પલટો, એક સપ્તાહના વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો
જામનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી રાહ જોવાઈ રહેલા વરસાદ બાદ આજે અચાનક હવામાન પલટાયું. સવારે વાદળો છવાયા બાદ વરસાદના છાંટા શરૂ થતાં શહેરમાં ફરી વરસાદી માહોલ સર્જાયો. હવામાન વિભાગે 11થી 13 ઓગસ્ટ દરમિયાન વરસાદની આગાહી કરી છે, જેની એક દિવસ પહેલાં જ વાતાવરણમાં આવેલા ફેરફારે મેઘમહેરની આશા જગાવી છે. શહેરીજનો અને ખેડૂતો, ખાસ કરીને ખેતી માટે, આગામી દિવસોમાં સારા વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
જામનગર શહેરમાં હવામાનમાં પલટો, એક સપ્તાહના વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો
જોડિયા લખતર ગામ પાસે જુગારધામ પર રાજકોટ ક્રાઈમ ટીમનો દરોડો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર ગામની સીમમાં રાજકોટ રેન્જની ક્રાઈમ ટીમે ગત મોડી રાત્રે જુગારધામ પર દરોડો પાડી ગંજીપાનાથી જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ, વાહનો, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.10.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળેલ બાતમીના આધારે વહેલી સવારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં કુલ આઠ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે રોકડા રૂ.3,35,900, ત્રણ મોટરસાયકલ, એક ઇકો કાર તથા આઠ મોબાઈલ ફોન મળી કુલ રૂ.10,25,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જોડિયા લખતર ગામ પાસે જુગારધામ પર રાજકોટ ક્રાઈમ ટીમનો દરોડો
ઇંગ્લેન્ડના બેટર ટોબી આલ્બર્ટની વન-ડેમાં તોફાની બેટિંગ
ઇંગ્લેન્ડના બેટ્સમેન ટોબી આલ્બર્ટે વનડે કપમાં સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકારીને સનસનાટી મચાવી દીધી છે. હેમ્પશાયર તરફથી રમતા Toby Albert એ 37 બોલમાં 86 રન ફટકાર્યા, જેમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગા શામેલ હતા. આ સાથે હેમ્પશાયરની ટીમે 383 રન બનાવ્યા અને સસેક્સને 51 રનથી હરાવી દીધું. ટોબી આલ્બર્ટની આ સિદ્ધિ બે અલગ-અલગ ઓવરમાં સતત 6 બોલ પર 6 છગ્ગા ફટકારીને હાંસલ થઈ હતી. ટોબી આલ્બર્ટે 21 રનના અંગત સ્કોર પર એક કેચ પણ ગુમાવ્યો હતો.
ઇંગ્લેન્ડના બેટર ટોબી આલ્બર્ટની વન-ડેમાં તોફાની બેટિંગ
જામનગરની પરિણીત શિક્ષિકાએ પતિ અને સાસરિયાં સામે માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી
જામનગરની એક 35 વર્ષીય સરકારી શિક્ષિકાએ પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. લગ્નના થોડા સમય બાદથી જ ઘરકામ અને અન્ય નાની બાબતોમાં ઝઘડા, અપમાન અને શંકા-કુશંકાનો સિલસિલો ચાલતો રહ્યો. ગર્ભાવસ્થા અને ગર્ભપાત દરમિયાન પણ યોગ્ય કાળજી ન મળ્યાનો આક્ષેપ છે. ઘણા પ્રયાસો બાદ પણ સમાધાન ન થતાં, આખરે શિક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો, જેથી કાયદેસરની કાર્યવાહી થઈ શકે.