મોડાસામાં ઇકો-ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓની માંગમાં ૨૫% વધારો
મોડાસામાં ઇકો-ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓની માંગમાં ૨૫% વધારો
Published on: 12th September, 2026

ગણેશ ચતુર્થી નજીક આવતા મોડાસામાં માટીની ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પ્રજાપતિ પરિવારો દ્વારા તૈયાર કરાતી આ મૂર્તિઓની માંગમાં ૨૫% નો વધારો જોવા મળ્યો છે, જ્યારે મટેરિયલ મોંઘું થતાં ભાવમાં ૨૦% નો વધારો થયો છે. ખાસ કરીને બાળ ગણેશજીની મૂર્તિઓની ડિમાન્ડ વધુ છે. આ મૂર્તિઓ માત્ર કલા નથી, પરંતુ પ્રકૃતિ બચાવવાનો સંદેશ પણ આપે છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના વેચાણની તુલનામાં ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ વધુ લોકપ્રિય બની રહી છે.