SOU નજીક 500 એકર જમીનો બિનખેતી ન થતાં રોકાણકારોના ₹100 કરોડ ફસાયા
SOU નજીક 500 એકર જમીનો બિનખેતી ન થતાં રોકાણકારોના ₹100 કરોડ ફસાયા
Published on: 29th August, 2026

સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU) વિસ્તારમાં પ્રવાસનના વિકાસ માટે 500 એકરથી વધુ ખેતીલાયક જમીનના સોદા થયા હતા. જોકે, બિનખેતીની પરવાનગી પર બ્રેક વાગતાં રોકાણકારોના ₹100 કરોડનું રોકાણ 5 વર્ષથી અટવાયું છે. SOU ડેવલપમેન્ટ ઓથોરિટીમાં 19 ગામોનો સમાવેશ કરવાની મંજૂરી સરકાર પાસે મંગાઈ છે, પરંતુ ત્યાં સુધી જમીનોને બિનખેતીમાં રૂપાંતરિત કરી શકાતી નથી. આ સ્થિતિમાં નાના રોકાણકારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, અને કેટલાક કિસ્સાઓમાં રોકાણકારોએ આર્થિક સંકળામણમાં જીવ ટૂંકાવવાનો પ્રયાસ પણ કર્યો છે.