વ્યારા શ્રીરામ તળાવના સુંદર બ્યુટિફિકેશન બાદ શૌચાલયમાં પાણીની સમસ્યા, પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં.
વ્યારા શ્રીરામ તળાવના સુંદર બ્યુટિફિકેશન બાદ શૌચાલયમાં પાણીની સમસ્યા, પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં.
Published on: 29th August, 2026

વ્યારા નગરપાલિકાએ શ્રીરામ તળાવ અને જલવાટિકા તળાવને સુંદર પિકનિક સ્પોટ તરીકે વિકસાવ્યું છે, પરંતુ જાહેર શૌચાલયોમાં પાણીની વ્યવસ્થા ન હોવાથી તે માત્ર શોભાની વસ્તુ બન્યા છે. રોજેરોજ સેંકડો નાગરિકો અને વીકેન્ડમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી આવતા પ્રવાસીઓ માટે આ ગંભીર સમસ્યા છે, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વડીલોને ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડે છે. બ્યુટિફિકેશન પાછળ લાખો રૂપિયા ખર્ચાયા છે, પરંતુ પાણી પુરવઠા માટે ઓવરહેડ ટેન્ક કે સમ્પ પંપની સુવિધા ઊભી કરવામાં આવી નથી, જેના કારણે ઓપન સ્પેસમાં ગંદકી વધી રહી છે.