માંડલ APMCમાં કેડ સમાણા પાણી ફરી વળતા વેપારીઓને મોટું નુકશાન
માંડલ APMCમાં કેડ સમાણા પાણી ફરી વળતા વેપારીઓને મોટું નુકશાન
Published on: 27th July, 2026

માંડલમાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણીને કારણે APMCમાં કેડ સમાણા પાણી ભરાયા હતા. આ કારણે અનેક વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. વરસાદ બંધ થયા પછી પણ માર્કેટયાર્ડના વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. છેલ્લા ચાર દિવસથી હરાજી, દુકાનો અને ઓફિસો સહિત તમામ કામગીરી ઠપ્પ છે. ધસમસતા પાણીના પ્રવાહથી પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાણી ઓસર્યા બાદ મોટાભાગનો માલ પલળી જતાં વેપારીઓને વ્યાપક નુકશાન થયું છે. જીરૂ, ઘઉં, ચણા અને અજમો જેવી જણસો બગડી ગઈ છે. વેપારીઓએ સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે.