પતંજલિના લોટમાં કીટનાશક મળ્યું, કંપનીએ માલ પાછો મંગાવ્યો
પતંજલિના લોટમાં કીટનાશક મળ્યું, કંપનીએ માલ પાછો મંગાવ્યો
Published on: 27th July, 2026

પતંજલિ ફૂડ્સે એક બ્રાન્ડેડ ઘઉંના લોટના જથ્થાને પરત ખેંચવાનો (Recall) આદેશ આપ્યો છે, કારણ કે તપાસમાં તેમાં જંતુનાશકની માત્રા નિર્ધારિત સીમા કરતાં વધુ જણાઈ આવી હતી. આ આદેશ કેરળના કોટ્ટાયમમાં ખાદ્ય સુરક્ષા મદદનીશ કમિશનરની કચેરી દ્વારા ક્લોરપાયરીફોસ નામના જંતુનાશકની વધુ માત્રાને કારણે જારી કરાયો હતો. કંપનીએ રિકોલનો આદેશ મળ્યાની તારીખ જણાવી છે, પરંતુ પ્રભાવિત જથ્થાના બેચ નંબર, માત્રા કે વેચાણ બજારો વિશે સ્પષ્ટતા કરી નથી. જોકે, કંપનીએ જણાવ્યું છે કે આનાથી તેની આર્થિક પ્રવૃત્તિઓ પર કોઈ મોટી અસર નહીં પડે. આ ઘટના બાદ પતંજલિ ફૂડ્સના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.