કોડીનારના યુવાનની મોબાઈલ ફોનના અવાજના કારણે ધોકા મારી હત્યા
કોડીનારના યુવાનની મોબાઈલ ફોનના અવાજના કારણે ધોકા મારી હત્યા
Published on: 13th September, 2026

રાજકોટના લોધીકા તાલુકાના રાવકી ગામમાં સોરઠીયા ફાઉન્ડ્રીમાં કામ કરતા કોડીનારના યુવાન અરશીભાઈ પરમાર પર મોબાઈલ ફોનના અવાજ બાબતે થયેલા ઝઘડામાં આરોપી પ્રવીણ રાઠોડે ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્રણ દિવસ પહેલા થયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અરશીભાઈનું આજે સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે આરોપી પ્રવીણ રાઠોડની ધરપકડ કરી ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.