અથડામણ બાદ ABVP દ્વારા પોલીસ મથકનો ઘેરાવો
અથડામણ બાદ ABVP દ્વારા પોલીસ મથકનો ઘેરાવો
Published on: 13th September, 2026

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં શ્રીજીની આગમન સવારી દરમિયાન થયેલી મારામારી બાદ એબીવીપી દ્વારા સયાજીગંજ પોલીસ મથકનો ઘેરાવો કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ ધરણા પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા. એબીવીપીના જણાવ્યા મુજબ, આઈસા ગુ્રપના પાર્થ પંડયા અને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા પૂર્વઆયોજિત હુમલો કરાયો, જેમાં ત્રણ કાર્યકરોને ઈજા થઈ, એકની હાલત ગંભીર. પોલીસ પર રાજકીય દબાણનો આરોપ મૂકી, કાર્યવાહી નહીં થાય તો દેખાવો ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી.