સુરેન્દ્રનગર NA કૌભાંડ: રૂ. 10 કરોડની લાંચ ટકાવારી મુજબ વિતરણ કરનાર ACBના સકંજામાં
સુરેન્દ્રનગર NA કૌભાંડ: રૂ. 10 કરોડની લાંચ ટકાવારી મુજબ વિતરણ કરનાર ACBના સકંજામાં
Published on: 20th July, 2026

સુરેન્દ્રનગર NA કૌભાંડમાં પૂર્વ કલેક્ટરના પીએ અને નાયબ મામલતદાર સામે રૂ.1.34 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. SITની તપાસમાં જયરાજસિંહ ઝાલાએ પરિવારજનોના નામે આવકના 53 ટકા વધુ મિલકત એકત્ર કર્યાનું સામે આવ્યું છે. તેમના નામે 3,88,33,649ના વ્યવહારો મળ્યા હતા, જેમાંથી રૂ.1,34,78,827 અપ્રમાણસર જાહેર કરાયા છે. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના કાર્યકાળમાં 501 અરજી જમીન NA થઇ હતી, જેમાં લાંચની રકમ સાચવવા અને ટકાવારી પ્રમાણે વિતરણ કરવાનું કામ જયરાસિંહનું હતું. આ સમગ્ર કૌભાંડનો સમયગાળો 5 ડિસેમ્બર 2024થી 20 ડિસેમ્બર 2025નો ગળવામાં આવ્યો છે.