અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મૃત ભ્રૂણ મળતાં ચકચાર
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મૃત ભ્રૂણ મળતાં ચકચાર
Published on: 11th August, 2026

અમદાવાદની ઓળખ સમાન સાબરમતી રિવરફ્રન્ટ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં નદીમાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા આશરે 2થી 4 મહિનાનું મૃત ભ્રૂણ વહેતું કરી દેવામાં આવ્યું હતું. રિવરફ્રન્ટ પરથી પસાર થઈ રહેલી એક મહિલાની નજર આ ભ્રૂણ પર પડતાં તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસે ફાયર બ્રિગેડની મદદથી ભ્રૂણને બહાર કાઢ્યું. પ્રાથમિક અનુમાન મુજબ, કોઈ મહિલા પોતાનું પાપ છુપાવવા આ કૃત્ય કરીને ફરાર થઈ ગઈ છે. પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ રિવરફ્રન્ટની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠાવ્યા છે.