આણંદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસ: મુખ્ય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
આણંદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસ: મુખ્ય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
Published on: 20th July, 2026

આણંદના વાસદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના મુખ્ય આરોપી સુરેશ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. ધરપકડ બાદ પોલીસ પર ચાકુથી હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે કાર્યવાહી કરી હતી. આરોપીને કરમસદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું. આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે. આરોપી વિકૃત માનસિકતા ધરાવતો હતો અને અગાઉ પણ દુષ્કર્મ કેસમાં સંડોવાયો હતો.