પોરબંદરના વિસાવાડામાં શરણાઇ વાદકનું અપહરણ અને ખૂનની કોશિષ
પોરબંદરના વિસાવાડામાં શરણાઇ વાદકનું અપહરણ અને ખૂનની કોશિષ
Published on: 30th August, 2026

પોરબંદરના વિસાવાડા ગામમાં રામદેવપીરના મંદિર પ્રસંગે શરણાઇ વગાડવા ગયેલા પ્રૌઢ શરણાઇ વાદકનું બે માથાભારે શખ્સોએ અપહરણ કરી બળજબરીથી શરણાઇ વગાડાવી હતી. તેમને ગળામાં દોરડું નાખી ખૂનની કોશિશ કરવામાં આવી હતી અને બેફામ માર મારવામાં આવ્યો હતો, જેમાં તેમની દાઢ પણ નીકળી ગઈ હતી. પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસ શરૂ કરાઈ છે.