સાયબર ફ્રોડ પીડિતોને મોટી રાહત
સાયબર ફ્રોડ પીડિતોને મોટી રાહત
Published on: 27th July, 2026

ગુજરાત સરકાર દ્વારા સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડનો ભોગ બનેલા નાગરિકો માટે એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરવામાં આવી છે. હવે નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા વિના, 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાની સાથે જ e-Zero FIR આપોઆપ તૈયાર થઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી કાર્યવાહી ઝડપી બનશે અને છેતરાયેલી રકમ બચાવવાની શક્યતા વધશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ ટેકનોલોજી આધારિત સુવિધા નાગરિકોને ઝડપી અને પારદર્શક પોલીસ સેવા પૂરી પાડશે.