સંજુ સેમસનનું બેબાક નિવેદન: "હવે કોઈ મને નહીં કહે કે શું કરવું"
સંજુ સેમસનનું બેબાક નિવેદન: "હવે કોઈ મને નહીં કહે કે શું કરવું"
Published on: 27th July, 2026

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી સંજુ સેમસન પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. ટીમ ઇન્ડિયામાં સતત અંદર-બહાર થવાની સ્થિતિ વચ્ચે, સંજુએ સ્પષ્ટ કહ્યું છે કે તે સિલેક્શન પ્રક્રિયાની ઉંદરદોડમાં સામેલ થવા માંગતો નથી. તેણે જણાવ્યું કે ભવિષ્યમાં તે શું કરશે અને કેવી રીતે રમશે તે ફક્ત તે પોતે જ નક્કી કરશે, અન્ય કોઈ નહીં. 31 વર્ષીય સંજુએ 'Believe' શોમાં કહ્યું કે તે હવે પોતાની શરતો પર ક્રિકેટ રમશે અને રમતનો આનંદ માણશે. વિરાટ કોહલીની ફિટનેસ અંગેની સલાહથી તેની વિચારસરણી બદલાઈ હતી. ભવિષ્ય માટે લાંબા ગાળાનું આયોજન કરવાને બદલે, તે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરશે.