કોકરોચ જનતા પાર્ટીની સરકારને ચેતવણી!
કોકરોચ જનતા પાર્ટીની સરકારને ચેતવણી!
Published on: 27th July, 2026

કોકરોચ જનતા પાર્ટી (CJP) એ કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે કે, જો આંદોલનકારીઓ સામે થયેલી FIR પાછી ખેંચવામાં નહીં આવે અને અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓને મુક્ત નહીં કરવામાં આવે, તો તેઓ ફરીથી દેશવ્યાપી પ્રદર્શન શરૂ કરવા મજબૂર બનશે. CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ બિહાર, બંગાળ અને દિલ્હીમાં પુરાવા વિના વિદ્યાર્થીઓની ધરપકડ અને પ્રદર્શનકારીઓ પર નજર રાખવાનો આરોપ લગાવ્યો છે, જે અગાઉ થયેલા કરારનું ઉલ્લંઘન છે. CJP એ FIR પાછી ખેંચવા, વિદ્યાર્થીઓને મુક્ત કરવા અને ભવિષ્યમાં નવી FIR ન નોંધવાની માંગ કરી છે.