દહેગામમાં 'ખેડૂત ગ્રાહક બજાર' ઊભું કરાતા વચેટીયાઓની નફાખોરી ખુલ્લી પડી
દહેગામમાં 'ખેડૂત ગ્રાહક બજાર' ઊભું કરાતા વચેટીયાઓની નફાખોરી ખુલ્લી પડી
Published on: 09th September, 2026

દહેગામ APMC દ્વારા શરૂ કરાયેલ 'ખેડૂત ગ્રાહક બજાર'એ વચેટિયાઓની નફાખોરીનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ રોડ પર શરૂ થયેલા આ બજારમાં ખેડૂતો સીધા ગ્રાહકોને શાકભાજી વેચી રહ્યા છે, જેના કારણે ભાવ અડધાથી પણ ઓછા થઈ ગયા છે. આ પહેલથી ગ્રાહકોને લાખો રૂપિયાની બચત થઈ રહી છે અને ખેડૂતોને પણ તેમની મહેનતનો યોગ્ય ભાવ મળી રહ્યો છે. દહેગામની સફળતા બાદ ગાંધીનગરમાં પણ આવા બજાર શરૂ કરવાની માંગ પ્રબળ બની છે.