રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે નવી કવાયત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે નવી કવાયત
Published on: 26th August, 2026

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે થયેલા ગેરવર્તનના બનાવ બાદ આરોગ્ય વિભાગે ગંભીરતા દાખવી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં લાંબા સમયથી ચાલતી અંધાધૂંધી, વિવાદો અને મનઘડત વહીવટીમાં સુધારો લાવવાની સૂચના અપાઈ છે. નવા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. કમલ ડોડીયાએ ચાર્જ સંભાળતાની સાથે જ તબીબી અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી સમસ્યાઓની લેખિત યાદી તૈયાર કરવા અને જરૂરી સુધારા-વધારા અંગે ચર્ચા કરી છે. તેમણે ઓપીડી, ટ્રોમા સેન્ટર, ઇમરજન્સી અને વોર્ડ્સનું નિરીક્ષણ કરી અસામાજિક તત્ત્વોને ખદેડી મૂકવા અને સિક્યોરિટી સ્ટાફને કડક પેટ્રોલિંગની સૂચના આપી છે.