માણસા બેંક મેનેજરની તિક્ષ્ણ હથિયારથી હત્યા
માણસા બેંક મેનેજરની તિક્ષ્ણ હથિયારથી હત્યા
Published on: 04th September, 2026

માણસાના IIFL ફાઇનાન્સ બેંક મેનેજર ભરત ચૌધરી (42)ની પ્રાંતિજ પંથકમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી. તેમની લાશ લીમકા તળાવ પાસેથી મળી આવી, જેમાં ગળા અને પેટ પર ઘાના નિશાન હતા. સ્થળ પરથી લોહીવાળી એક કાર મળી આવી, જેમાં હત્યા થઈ હોવાનું અનુમાન છે. હત્યારાઓ કારમાં મૃતદેહ ફેંકી ફરાર થઈ ગયા. પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.