સૂરજગઢની આશ્રમ શાળામાં ભૂતિયા વિદ્યાર્થીઓ દર્શાવી કરોડોની ગ્રાન્ટ ચાઉં થવાનું કૌભાંડ
સૂરજગઢની આશ્રમ શાળામાં ભૂતિયા વિદ્યાર્થીઓ દર્શાવી કરોડોની ગ્રાન્ટ ચાઉં થવાનું કૌભાંડ
Published on: 26th August, 2026

જૂનાગઢના મેંદરડા તાલુકાના સૂરજગઢ ખાતેની આદિજાતિ વિભાગ હસ્તકની ભગવતી આશ્રમ શાળામાં રેકર્ડ પર ૭૫ વિદ્યાર્થીઓ દર્શાવાયા હતા, પરંતુ તપાસ દરમિયાન એક પણ વિદ્યાર્થી હાજર ન મળ્યો. વિદ્યાર્થી આગેવાને આરોપ લગાવ્યો છે કે બોગસ હાજરપત્રક અને એલસી બનાવી ભૂતિયા વિદ્યાર્થીઓ દર્શાવી સરકારની કરોડોની ગ્રાન્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ શાળાઓમાં અનુસુચિત જન જાતિ અને પછાત વર્ગના બાળકોના ઉત્થાન માટે ફાળવેલી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાની શંકા છે. આ કૌભાંડમાં બોગસ વયપત્રક અને જાતિ પ્રમાણપત્રનો પણ સમાવેશ હોઈ શકે છે. શિક્ષણ વિભાગને તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરાઈ છે.