પતિ સાથે ઝઘડો થતા મહિલા આત્મહત્યા કરવા કેનાલ પર પહોંચી, 112 ટીમે બચાવ્યો જીવ
પતિ સાથે ઝઘડો થતા મહિલા આત્મહત્યા કરવા કેનાલ પર પહોંચી, 112 ટીમે બચાવ્યો જીવ
Published on: 04th September, 2026

થરાદ પોલીસ સ્ટેશન હેઠળની પિલુડા 112 જનરક્ષક ટીમ દ્વારા માનવતાવાદી અને પ્રશંસનીય કામગીરી કરીને એક મહિલાનો અમૂલ્ય જીવ બચાવવામાં આવ્યો છે. પતિ સાથે પારિવારિક ઝઘડા અને મનદુઃખને કારણે કંટાળીને ભાપી ગોળીયા કેનાલ પર આત્મહત્યા કરવા આવેલી મહિલાને ટીમના કર્મચારીઓએ જોઇ હતી. ત્વરિત કાર્યવાહી કરી, પૂછપરછ બાદ, ટીમે મહિલાના પતિ અને સ્થાનિક લોકોને બોલાવી, કાઉન્સેલિંગ કરાવી બંને વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું. ગેરસમજ દૂર થતાં મહિલાને સુરક્ષિત તેના ઘરે મોકલી આપવામાં આવી.