કરજણની શાળામાં ધો.3 થી 12ના વિદ્યાર્થીઓ માટે વાલી સંમેલનનું આયોજન.
કરજણની શાળામાં ધો.3 થી 12ના વિદ્યાર્થીઓ માટે વાલી સંમેલનનું આયોજન.
Published on: 28th August, 2026

વીર સાવરકર શિક્ષણ અને સેવા સંસ્થાન સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાધામ, કરજણ ખાતે ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓના વાલીઓનું સંમેલન યોજાયું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ, વાલી મંડળના પ્રમુખ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. સંમેલનમાં પરીક્ષાલક્ષી માર્ગદર્શન, વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી અને અભ્યાસ અંગે ઉપયોગી સૂચનો અપાયા. અનુશાસન અને વાલીઓની ભૂમિકા પર પણ ચર્ચા થઈ. સંત રોહિદાસજીની 650મી જન્મજયંતિ અને વંદે માતરમ્ની 150મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાયા.