ગુજરાતમાં શિક્ષણ, પાઠયપુસ્તકો અને ગ્રંથાલય પ્રવૃત્તિનો ઐતિહાસિક વિકાસ
ગુજરાતમાં શિક્ષણ, પાઠયપુસ્તકો અને ગ્રંથાલય પ્રવૃત્તિનો ઐતિહાસિક વિકાસ
Published on: 26th August, 2026

19મી સદીની શરૂઆતમાં ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ પ્રાથમિક હતી. ઈ.સ. 1820માં Bombay Education Society દ્વારા આધુનિક શિક્ષણનો પાયો નંખાયો, જે બાદમાં Bombay Native School Book and School Societyની સ્થાપના સાથે વિકસ્યો. 1855માં વૂડના ડિસ્પેચ બાદ કેળવણી ખાતું સ્થપાયું અને 1857માં ટી.સી. હોપની આગેવાની હેઠળ નવી વાચનમાળા રચાવાઈ, જેણે નવીન ગુજરાતના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો. 19મી સદીના ઉત્તરાધમાં સ્થાપિત પુસ્તકાલયોએ વાચનસંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું. મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) એ 1906થી વડોદરામાં મફ્ત શિક્ષણ અને 1907થી Circulating Library જેવી ક્રાંતિકારી પહેલો કરી. 1911માં Public Library Departmentની સ્થાપના અને ગ્રંથાલય વિજ્ઞાનના તાલીમ વર્ગોએ આધુનિક જાહેર ગ્રંથાલય પ્રવૃત્તિનો પાયો નાખ્યો.