સુપ્રીમ કોર્ટે CBSE ત્રિ-ભાષા નીતિ પર વચગાળાની રોક લગાવવાનો ઇનકાર કર્યો, 14 જુલાઈએ સુનાવણી
સુપ્રીમ કોર્ટે CBSE (Central Board of Secondary Education) ની ધોરણ 9 થી લાગુ થનારી ત્રિ-ભાષા નીતિ (Three-Language Policy) પર વચગાળાની રોક લગાવવાની માંગને ફગાવી દીધી છે. આ મામલાને અગાઉથી પેન્ડિંગ અરજીઓ સાથે જોડીને 14 જુલાઈના રોજ આગામી સુનાવણી માટે નિયુક્ત કરવામાં આવ્યો છે. આ નીતિ શૈક્ષણિક સત્ર 2026-27 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે લાગુ થવાની છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ મુદ્દે અગાઉ પણ ચર્ચા થઈ ચૂકી છે, તેથી હાલમાં કોઈ વચગાળાની રાહત આપી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે CBSE ત્રિ-ભાષા નીતિ પર વચગાળાની રોક લગાવવાનો ઇનકાર કર્યો, 14 જુલાઈએ સુનાવણી
NEET-UG Re-Exam પહેલા દેશભરમાં મોક ડ્રિલ.
NEET UG Re-Exam 2026 માટે સરકાર અને NTA સજ્જ છે. પરીક્ષામાં ગેરરીતિ રોકવા અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા હેઠળ, દેશભરના પરીક્ષા કેન્દ્રો પર શનિવારે સવારે 9 થી મોડી રાત સુધી વ્યાપક મોક ડ્રિલ યોજાઈ. અંદાજે 2.5 લાખ સુરક્ષાકર્મીઓ જોડાશે. પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓની સુરક્ષા અર્ધસૈનિક દળોને સોંપાઈ છે. 5000+ પરીક્ષા કેન્દ્રો પર CCTVનું લાઈવ મોનિટરિંગ NTA દ્વારા થશે. સોશિયલ મીડિયા પર 24 કલાક નજર રખાશે. 22 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
NEET-UG Re-Exam પહેલા દેશભરમાં મોક ડ્રિલ.
થરાદના ભાચર ગામમાં અદ્યતન નવી લાઈબ્રેરીનું ભવ્ય લોકાર્પણ
થરાદ તાલુકાના ભાચર ગામમાં ગ્રામીણ વિદ્યાર્થીઓ અને વાંચનપ્રેમીઓ માટે એક પ્રશંસનીય કાર્ય થયું છે, જ્યાં નવી અદ્યતન લાઈબ્રેરીનું ભવ્ય લોકાર્પણ કરાયું છે. પૂર્વ સાંસદ પરબત પટેલની સાંસદ ગ્રાન્ટમાંથી નિર્માણ થયેલ આ લાઈબ્રેરી માટે ભાચર ગ્રામ પંચાયતનું આયોજન ઉત્તમ રહ્યું. સરકારી ગ્રાન્ટ ઉપરાંત, સ્થાનિક ગ્રામજનોએ આર્થિક સહયોગ અને શ્રામદાન આપી આ ભગીરથ કાર્યમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે, જે શિક્ષણ સંસ્કૃતિને વેગ આપશે.
થરાદના ભાચર ગામમાં અદ્યતન નવી લાઈબ્રેરીનું ભવ્ય લોકાર્પણ
બનાસકાંઠાના શાળાના પુસ્તકો પસ્તીમાં વેચવા નીકળ્યાં શિક્ષક
બનાસકાંઠાના દિયોદર પાસે એક સરકારી શાળાના શિક્ષક દ્વારા પાઠ્ય પુસ્તકો પસ્તીના ભાવે વેચવામાં આવી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. સ્થાનિક નાગરિકે ભંગારના ગોડાઉનમાં શિક્ષકને પુસ્તકો વેચતા જોઈ વીડિયો બનાવ્યો હતો. જોકે, શાળાના આચાર્યે SMCના ઠરાવ મુજબ પુસ્તકોનો નિકાલ કર્યાનો દાવો કર્યો છે, જેમાં વરસાદથી પુસ્તકો ખરાબ થવાનો અને જીવજંતુનો ભય ટાળવાનો ઉલ્લેખ છે.
બનાસકાંઠાના શાળાના પુસ્તકો પસ્તીમાં વેચવા નીકળ્યાં શિક્ષક
અંકલેશ્વરના નેત્રંગ ખાતે ઈંગ્લિશ મીડિયમ સ્કૂલનુ ઉદઘાટન કરાયું
અંકલેશ્વરના આર્યસમાજ નેત્રંગ, આદિવાસી પછાત વર્ગ વિકાસ મંડળ નેત્રંગ સંચાલિત, ઉષાબેન જયવદન બોડાવાલા ઈંગ્લિશ મીડિયમ સ્કૂલનુ ઉદ્દઘાટન ઉષાબેન જયવદન બોડાવાલાના હસ્તે તા.17ના રોજ મેનેજિંગ ટ્રસ્ટી ડૉ સ્મિત વસાવા, ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ ચાહવાલા, સુરેશભાઈ પટેલ, પ્રવિણભાઇ વસાવા, ગોવિંદ પ્રસાદ શાસ્ત્રીની ઉપસ્થિતિમાં કરાયું હતું. સાથે આર્યસમાજ મંદિર સોનીફ્ળીયા સુરત તરફ્થી આદિવાસી વિદ્યાર્થીનીઓને નોટબુકોનુ વિતરણ કરાયું હતું.
અંકલેશ્વરના નેત્રંગ ખાતે ઈંગ્લિશ મીડિયમ સ્કૂલનુ ઉદઘાટન કરાયું
સુપ્રિમ કોર્ટના TET પરીક્ષા ચુકાદાથી દેશના લાખો શિક્ષકોનું ભાવી ખતરામાં
ભરૂચ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા PM અને શિક્ષણ મંત્રીને સંબોધીને સુપ્રિમ કોર્ટના TET પરીક્ષાના ચુકાદા અંગે રજૂઆત કરાઈ. 2010 પહેલાના શિક્ષકોને કાયદાકિય નીતિગત સંરક્ષણ આપવાની માંગ સાથે મોટી સંખ્યામાં શિક્ષકોએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું. દેશભરના લાખો શિક્ષકોમાં ચિંતા અને અસુરક્ષાની લાગણી પ્રવર્તી રહી છે, કારણ કે 29 મેના સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોએ પણ ટેટ પરીક્ષા આપવી પડશે. આનાથી તેમના સેવા હિતો, વરિષ્ઠતા, બઢતી અને અન્ય કાયદેસર લાભો પર માઠી અસર પડી શકે છે. સરકાર પાસે સંસદમાં વટહુકમ લાવી આ લાખો શિક્ષકોનું ભાવિ બચાવવા અપીલ કરાઈ.
સુપ્રિમ કોર્ટના TET પરીક્ષા ચુકાદાથી દેશના લાખો શિક્ષકોનું ભાવી ખતરામાં
ટેલીગ્રામના ૧૫ કરોડ યુઝર્સના અધિકાર ના રોકી શકે કેન્દ્ર સરકાર: હાઇકોર્ટ
NEET-UG પેપર લીક મામલે ટેલીગ્રામ પર 22મી સુધીના પ્રતિબંધ સામે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. પરીક્ષા આપી રહેલા કેટલાક હજાર લોકોના કારણે ૧૫ કરોડ ટેલીગ્રામ યુઝર્સના અધિકારોને કેવી રીતે રોકી શકાય તેવો સવાલ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યો છે. નવી દિલ્હીમાં NEET-UG પેપર લીક થયા બાદ ફરી પરીક્ષા યોજાવાની છે. આ ઘટનાઓ વચ્ચે, પેપર લીક અટકાવવાના હેતુથી કેન્દ્ર સરકારે 22મી તારીખ સુધી ટેલીગ્રામ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના પર કોર્ટે જવાબ માંગ્યો છે.
ટેલીગ્રામના ૧૫ કરોડ યુઝર્સના અધિકાર ના રોકી શકે કેન્દ્ર સરકાર: હાઇકોર્ટ
અમરેલીમાં 23-25 જૂન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ
અમરેલી જિલ્લામાં 23, 24 અને 25 જૂન દરમિયાન રાજ્ય સરકારના આયોજન હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લાની તૈયારીઓની સમીક્ષા થઈ. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં શાળાઓની ગુણવત્તા ચકાસણી અભિયાન, નવી શિક્ષણ નીતિ પુસ્તિકા વિમોચન અને નિપૂણ ગુજરાત અભિયાનનો શુભારંભ થશે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ કાર્યક્રમને શિક્ષિત ભારતના ઉત્સવ તરીકે ઉજવવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો. આ વર્ષે હજારો વિદ્યાર્થીઓને વિવિધ કક્ષાઓમાં પ્રવેશ અપાશે.
અમરેલીમાં 23-25 જૂન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ
TET માંથી મુક્તિ અને 2010 પહેલાંના શિક્ષકોના હિત રક્ષણ માટે સરકારને આવેદન
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક મહાસંઘે કલેક્ટર મારફત સરકારને રજૂઆત કરી છે કે 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે. તેમનું કહેવું છે કે આ શિક્ષકોની નિમણૂક તે સમયના નિયમો મુજબ કાયદેસર હતી અને TET લાયકાતને પૂર્વલક્ષી અસરથી લાગુ કરવી ન્યાયી નથી. વર્ષોથી સેવા આપતા શિક્ષકોના અનુભવ, વરિષ્ઠતા અને અધિકારોનું સંરક્ષણ થવું જોઈએ. 23 ઓગસ્ટ 2010 પહેલાંના તમામ શિક્ષકોને TETમાંથી કાયમી મુક્તિ, સેવા-વરિષ્ઠતા-બઢતીના અધિકારોનું સંરક્ષણ, અને સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
TET માંથી મુક્તિ અને 2010 પહેલાંના શિક્ષકોના હિત રક્ષણ માટે સરકારને આવેદન
મેંગો પીપલ પરિવાર: ૧૩ વર્ષથી શિક્ષણ-સંસ્કાર અને ૧૬૦ બાળકો માટે આમરસ પાર્ટી
જામનગરમાં ‘મેંગોપીપલ પરિવાર’ દ્વારા સ્લમ વિસ્તારના ૧૬૦થી વધુ જરૂરિયાતમંદ બાળકો માટે પુરુષોત્તમ માસની અગિયારસે આમરસ-પૂરી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ ખુશી અને તૃપ્તિનો અનુભવ કર્યો. છેલ્લા ૧૩ વર્ષથી આ પરિવાર શિક્ષણ, સંસ્કાર અને ‘પ્રોજેક્ટ મુસ્કાન’ હેઠળ નિઃશુલ્ક સેનેટરી પેડ્સ, અંડરગારમેન્ટ્સનું વિતરણ જેવા અનેક સેવાકાર્યો દ્વારા સમાજના વંચિત બાળકોના જીવનમાં અજવાળું પાથરી રહ્યો છે. તેમના સર્વાંગી વિકાસ માટે સંસ્થા પ્રતિબદ્ધ છે.
મેંગો પીપલ પરિવાર: ૧૩ વર્ષથી શિક્ષણ-સંસ્કાર અને ૧૬૦ બાળકો માટે આમરસ પાર્ટી
સરકારી આર્યુવેદ કોલેજમાં ગર્ભાવસ્થા દરમિયાન કાળજી અને ગર્ભાધાન સંસ્કારનું માર્ગદર્શન
જૂનાગઢ સરકારી આયુર્વેદ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગ દ્વારા ગુરૂ પુષ્ય નક્ષત્રના શુભ દિવસે સામૂહિક ગર્ભાધાન સંસ્કાર કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા 70 થી વધુ દંપતિઓએ ભાગ લીધો. આયુર્વેદમાં ગર્ભાધાન સંસ્કારનું મહત્વ અને ગર્ભાવસ્થા દરમિયાન રાખવાની કાળજીઓ વિશે નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન અપાયું. ગર્ભાધાન નસ્ય પ્રક્રિયા, જે નાક દ્વારા ઔષધીય ટીપાં નાખી હોર્મોન્સ સંતુલિત અને ફર્ટીલિટી વધારવા માટે કરવામાં આવે છે, તે વિશે પણ સમજાવવામાં આવ્યું. આ શાસ્ત્રોક્ત પ્રક્રિયા ફક્ત ડોક્ટરની સલાહ હેઠળ જ કરવી જોઈએ.
સરકારી આર્યુવેદ કોલેજમાં ગર્ભાવસ્થા દરમિયાન કાળજી અને ગર્ભાધાન સંસ્કારનું માર્ગદર્શન
TET માંથી કાયમી મુક્તિની માંગ: રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે કલેક્ટરને કરી રજૂઆત
રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ પોરબંદર શાખા દ્વારા 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોને TET પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવા અને કાયદાકીય સંરક્ષણ પૂરું પાડવા માટે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને પત્ર લખીને તેમજ પોરબંદર કલેક્ટરને રજૂઆત કરી છે. 23 ઓગસ્ટ 2010ના રોજ NCTE દ્વારા TET ફરજિયાત કરાયું હતું. જોકે, તે પહેલાં થયેલી લાખો નિમણૂકો તે સમયના નિયમો મુજબ હતી. આ શિક્ષકોએ દાયકાઓ સુધી શિક્ષણમાં યોગદાન આપ્યું છે. નવા નિયમો ભૂતકાળની નિમણૂકો પર લાગુ ન થવા જોઈએ. તેથી, કેન્દ્ર સરકારે તાત્કાલિક સુધારા કરવા જોઈએ. મહાસંઘની માંગ છે કે 2010 પહેલાંના શિક્ષકોને TETમાંથી મુક્તિ, સેવા, વરિષ્ઠતા, બઢતી અને અન્ય લાભોનું રક્ષણ મળે.
TET માંથી કાયમી મુક્તિની માંગ: રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે કલેક્ટરને કરી રજૂઆત
યુનિ.ના લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટર દ્રારા ૧૪ નવા વોકેશનલ કોર્સ શરુ કરાયા
વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં વોકેશનલ કોર્સ માટે ચાલતા સેન્ટર ફોર લાઈફ લોન્ગ લર્નિંગ એન્ડ એક્સ્ટેન્શન દ્વારા નવા શૈક્ષણિક વર્ષ માટે બેઝિક એઆઈ સહિતના ૧૩ શોર્ટ ટર્મ અને એક લોન્ગ ટર્મ એમ ૧૪ નવા કોર્સ શરુ કરવામાં આવ્યા છે.આ વર્ષે કુલ ૪૩ કોર્સમાં પ્રવેશ આપવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે અને તા.૨૫ જૂન ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે.
યુનિ.ના લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટર દ્રારા ૧૪ નવા વોકેશનલ કોર્સ શરુ કરાયા
CA ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરાના ૬૦ વિદ્યાર્થીઓ CA થયા
વડોદરા ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા દ્વારા મે મહિનામાં લેવાયેલી સીએ ફાઈનલની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે.વડોદરાના લગભગ ૪૦ વિદ્યાર્થીઓને સીએની ડિગ્રી મળી છે.જોકે વડોદરાનો કોઈ વિદ્યાર્થી દેશના ટોપર્સમાં સ્થાન મેળવી શક્યો નથી.વડોદરા ચેપ્ટરમાંથી ૬૨૬ વિદ્યાર્થીઓએ સીએ ફાઈનલની પરીક્ષા આપી હતી.જેમાંથી ૯૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા વડોદરા ચેપ્ટરનું પરિણામ ૧૪.
CA ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરાના ૬૦ વિદ્યાર્થીઓ CA થયા
શુક્રવારનું રાશિફળ: રાશિ પ્રમાણે જાણો તમારો દિવસ, કારકિર્દી અને પ્રેમ જીવન
19 જૂન 2026, શુક્રવારના રોજ અધિક જેઠ સુદ પાંચમ/છઠ્ઠ છે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે તે જાણી લો. આજનો દિવસ ઘણા લોકો માટે નવી તકો લઈને આવશે. પૈતૃક મિલકત, પારિવારિક સમસ્યાઓ, નાણાકીય લાભ અને કારકિર્દી સંબંધિત મહત્વપૂર્ણ યોગ બની રહ્યા છે. પ્રેમ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ દિવસ ફળદાયી રહેશે. પોતાના સ્વભાવ અને કાર્યો પર ધ્યાન આપીને શુભ પરિણામો મેળવી શકાય છે.
શુક્રવારનું રાશિફળ: રાશિ પ્રમાણે જાણો તમારો દિવસ, કારકિર્દી અને પ્રેમ જીવન
CA ફાઇનલ 2026: સુરતના 6 વિદ્યાર્થીઓ ટોપ 50માં
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા મે-2026માં લેવાયેલી CA ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. પંજાબના નૂર સિંગલાએ દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે, જ્યારે સુરતના 6 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ 50માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સુરતમાંથી અક્ષત બેરીવાલ 10મા અને રાજ શાહ 30મા ક્રમે રહ્યા. વડોદરાનું પરિણામ 14.70% રહ્યું, જ્યાં લક્ષ્મણ ધર્મેશ ખડકા શહેરમાં પ્રથમ આવ્યા. અમદાવાદના વિદ્યાર્થીઓ માટે પરિણામ નિરાશાજનક રહ્યું છે.
CA ફાઇનલ 2026: સુરતના 6 વિદ્યાર્થીઓ ટોપ 50માં
NEET પરીક્ષા માટે પશ્ચિમ રેલવે ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનો દોડાવશે.
NEET Exam 2026 માં ભાગ લેનારા ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા વિશેષ ભાડા પર ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેનો પરીક્ષાર્થીઓને મુસાફરીમાં રાહત આપશે. 09472/09471 મણિનગર-બાંદ્રા, 09554/09553 ઓખા-ગાંધીનગર કેપિટલ અને 09254/09253 ભાવનગર ટર્મિનસ-ગાંધીગ્રામ રૂટ પર દોડશે. આ ટ્રેનો 20 જૂન 2026 થી શરૂ થશે અને બુકિંગ 19 જૂનથી PRS અને IRCTC પર શરૂ થશે.
NEET પરીક્ષા માટે પશ્ચિમ રેલવે ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનો દોડાવશે.
NEET પરીક્ષા માટે પશ્ચિમ રેલવેની સ્પેશિયલ ટ્રેનો, ત્રણ રૂટ પર ઉમેદવારોને સુવિધા
NEET પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા 20 અને 21 જૂને ત્રણ રૂટ પર વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. અમદાવાદ-મુંબઈ, ઓખા-ગાંધીનગર અને ભાવનગર-ગાંધીગ્રામ એમ કુલ ત્રણ જોડી ટ્રેનો ચલાવાશે. આ ટ્રેનો ખાસ ભાડા પર ઉપલબ્ધ રહેશે અને તેમાં સ્લીપર તેમજ જનરલ કોચની સુવિધા હશે. ઉમેદવારો PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પરથી 19 જૂનથી ટિકિટ બુક કરી શકશે, જે પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચવામાં મદદરૂપ થશે.
NEET પરીક્ષા માટે પશ્ચિમ રેલવેની સ્પેશિયલ ટ્રેનો, ત્રણ રૂટ પર ઉમેદવારોને સુવિધા
ભાવનગર મેડિકલ કૉલેજમાં 13 જુનિયરો પર 6 સિનિયરો દ્વારા 'તાલિબાની સજા'.
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગના 13 જુનિયર રેસિડન્ટ તબીબોને છેલ્લા પાંચ મહિનાથી 6 સિનિયર તબીબો દ્વારા 'તાલિબાની સજા' આપવામાં આવી રહી હોવાનો ગંભીર રેગિંગ કાંડ પ્રકાશમાં આવ્યો છે. પીડિતોએ ઓનલાઈન ફરિયાદ નોંધાવ્યા બાદ એન્ટી રેગિંગ સ્કવોર્ડ તપાસ કરી રહી છે. આરોપી સિનિયરો દર મહિને અઢી લાખ રૂપિયા પડાવતા, દારૂ મંગાવતા અને જુનિયરોને હોસ્પિટલની બહાર નીકળવા દેતા નહોતા. તેમને જમવા કે સૂવાનો સમય પણ મળતો નહોતો અને 15 દિવસ સુધી ન્હાવા પણ દીધું નહોતું. કૂકડા બનાવવા, એક પગે ઊભા રાખવા અને રેડિયેશનથી બચવા જરૂરી લેડ એપ્રન ન પહેરવા દઈ તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવતા હતા.
ભાવનગર મેડિકલ કૉલેજમાં 13 જુનિયરો પર 6 સિનિયરો દ્વારા 'તાલિબાની સજા'.
NEET Re-Exam: પેપર લીક રોકવા વાયુસેના ખડેપગે, 200થી વધુ ઉડાન ભરી
NEET-UG 2026ની પુનઃપરીક્ષાને સુરક્ષિત બનાવવા ભારતીય વાયુસેના (IAF) 200થી વધુ ઉડાનો ભરી છે. 13 જૂનથી શરૂ થયેલ આ મિશનમાં પ્રશ્નપત્રો દેશભરના પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ સૌથી મોટું સુરક્ષા અભિયાન છે. NTAએ ડિજિટલ સ્તરે પણ નિયંત્રણ રાખ્યું છે, જેમાં ટેલીગ્રામની ઍક્સેસ મર્યાદિત કરાઈ છે. NTAએ પેપર લીકના દાવાઓને નિરાધાર ગણાવ્યા છે.
NEET Re-Exam: પેપર લીક રોકવા વાયુસેના ખડેપગે, 200થી વધુ ઉડાન ભરી
CBSE ની ત્રિ-ભાષા નીતિ: સુપ્રીમ કોર્ટનો વચગાળાની રાહતનો ઇનકાર, જુલાઈમાં સુનાવણી
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની ત્રિ-ભાષા નીતિ (Three-Language Policy) પર સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. 'ફ્રેન્ડ ઓફ પીપલ ફોર એક્ટિવ ડેમોક્રેસી' (Friend of People for Active Democracy) નામની સંસ્થા દ્વારા દાખલ કરાયેલી અરજીમાં આ નીતિનો વિરોધ કરાયો છે, જે 2026-27 થી ધોરણ 9 માં લાગુ થવાની છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે ગંભીરતાપૂર્વક જુલાઈમાં મુખ્ય કેસની સાથે વિગતવાર સુનાવણી થશે. ત્યાં સુધી નીતિના અમલીકરણ પર કોઈ રોક રહેશે નહીં.
CBSE ની ત્રિ-ભાષા નીતિ: સુપ્રીમ કોર્ટનો વચગાળાની રાહતનો ઇનકાર, જુલાઈમાં સુનાવણી
CA ફાઇનલ રિઝલ્ટ 2026 જાહેર: નૂર સિંગલા ટોપ, રિતિજ સરાફ બીજા, 7,931 ઉમેદવારો પાસ
ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) દ્વારા ICAI CA ફાઇનલ રિઝલ્ટ 2026 આજે જાહેર કરાયું છે. પટિયાલાના નૂર સિંગલાએ 83.17% સાથે ટોપ કર્યું છે, જ્યારે હાવડાના રિતિજ સરાફે 79.17% સાથે બીજું સ્થાન મેળવ્યું છે. કુલ 7,931 ઉમેદવારો પરીક્ષામાં પાસ થયા છે. ઉમેદવારો ICAI ની ઓફિશિયલ વેબસાઇટ icai.org પર લોગિન ક્રેડેન્શિયલનો ઉપયોગ કરીને પરિણામ ચેક કરી શકે છે. આ વર્ષથી ICAI એ વર્ષમાં બે વાર પરીક્ષા યોજવાની જૂની વ્યવસ્થા ફરી લાગુ કરી છે, જે હવે ફક્ત મે અને નવેમ્બરમાં યોજાશે.
CA ફાઇનલ રિઝલ્ટ 2026 જાહેર: નૂર સિંગલા ટોપ, રિતિજ સરાફ બીજા, 7,931 ઉમેદવારો પાસ
અમદાવાદમાં NEET પરીક્ષાના ત્રણ દિવસ પહેલાં 17 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં NEETની તૈયારી કરી રહેલા 17 વર્ષીય વિદ્યાર્થીએ પોતાના ફ્લેટના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETના માત્ર ત્રણ દિવસ પહેલાં આ દુર્ઘટના બની. વિદ્યાર્થીના અચાનક અંતિમ પગલાથી પરિવારમાં શોકનો માહોલ છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ સ્પષ્ટ થયું નથી, પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં NEET પરીક્ષાના ત્રણ દિવસ પહેલાં 17 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત
પ્રિયંકા ગાંધીનો આરોપ: NEET પરીક્ષામાંથી ₹1.32 લાખ કરોડ વસૂલાયા, માનીતા ઉદ્યોગપતિઓની લોન માફ
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આરોપ લગાવ્યો છે કે NEET પરીક્ષા આપતા 22 લાખ વિદ્યાર્થીઓ પાસેથી વ્યવસ્થા દ્વારા દર વર્ષે ₹1.32 લાખ કરોડ વસૂલવામાં આવે છે, જે દેશના શિક્ષણ બજેટ ₹1.40 લાખ કરોડની લગભગ બરાબર છે. તેમણે ઉમેર્યું કે સરકાર દ્વારા પોતાના માનીતા ઉદ્યોગપતિઓની ₹16 લાખ કરોડની લોન માફ કરવામાં આવી છે. આ ટિપ્પણી રાહુલ ગાંધીના કોટા પ્રવાસ પછી આવી, જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ વ્યવસ્થાના દબાણ પર ચર્ચા કરી. NTA એ NEET રી-એક્ઝામના એડમિટ કાર્ડ ડાઉનલોડ પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે.
પ્રિયંકા ગાંધીનો આરોપ: NEET પરીક્ષામાંથી ₹1.32 લાખ કરોડ વસૂલાયા, માનીતા ઉદ્યોગપતિઓની લોન માફ
અમદાવાદ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને મળ્યા લાખોના પેકેજ
એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં કેમ્પસ પ્લેસમેન્ટમાં 1000થી વધુ વિદ્યાર્થીઓને નોકરીની ઓફર મળી છે. આ વર્ષે 227 કંપનીઓએ ભાગ લીધો, જે એક રેકોર્ડ છે. વિદ્યાર્થીઓને ₹25.93 લાખ સુધીનું હાઈએસ્ટ પેકેજ hackerrank દ્વારા ઓફર કરવામાં આવ્યું. IT અને કોર બ્રાન્ચમાં મોટી સંખ્યામાં પ્લેસમેન્ટ થયા. 88% વિદ્યાર્થીઓને ઓન-કેમ્પસ પ્લેસમેન્ટ મળ્યું, જેમાં 20% વિદ્યાર્થીઓને 7 લાખથી વધુનું વાર્ષિક પેકેજ પ્રાપ્ત થયું. આ સિદ્ધિ કોલેજના ટ્રેનિંગ અને સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમોનું પરિણામ છે.
અમદાવાદ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને મળ્યા લાખોના પેકેજ
ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણાં પ્રદર્શન
પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે TET મુદ્દે સુપ્રીમ કોર્ટના 29 મે 2026ના ચુકાદા સામે ગોધરામાં ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. સંઘના જણાવ્યા મુજબ, સેવામાં રહેલા શિક્ષકોને 31 ઓગસ્ટ 2028 સુધી TET લાયકાત મેળવવાની શરતથી હજારો અનુભવી શિક્ષકોમાં ચિંતા અને અસંતોષ ફેલાયો છે. શિક્ષકોએ વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે સેવા આપી હોવા છતાં હવે કારકિર્દી, બઢતી અને નિવૃત્તિ લાભોને લઈને અનિશ્ચિતતા ઉભી થઈ છે. સંઘે કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હસ્તક્ષેપ કરી શિક્ષકો માટે છૂટછાટ અથવા વૈકલ્પિક મૂલ્યાંકન વ્યવસ્થા અંગે યોગ્ય નિર્ણય લેવા માંગ કરી છે.
ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણાં પ્રદર્શન
મુંબઈના યુવા ટેક્નોલોજિસ્ટ પ્રથમ લોહિયા વર્લ્ડ સ્કિલ્સ શાંઘાઈ 2026 માં યુકેનું પ્રતિનિધિત્વ કરશે.
મુંબઈના ૨૧ વર્ષીય ટેક્નોલોજિસ્ટ પ્રથમ લોહિયા, જે હાલ યુકેમાં રોબોટિક્સમાં માસ્ટર્સ કરી રહ્યા છે, તેમની પ્રતિષ્ઠિત વર્લ્ડ સ્કિલ્સ શાંઘાઈ 2026 સ્પર્ધા માટે પસંદગી થઈ છે. તેઓ રોબો સિસ્ટમ્સ ઈન્ટીગ્રેશન શ્રેણીમાં ટીમ યુકેનું પ્રતિનિધિત્વ કરશે. આ ‘સ્કિલ્સ ઓલિમ્પિક્સ’ તરીકે ઓળખાતી વૈશ્વિક સ્પર્ધામાં 80થી વધુ દેશોના યુવા વ્યાવસાયિકો ભાગ લેશે. પ્રથમ લોહિયાને ઔદ્યોગિક રોબોટિક્સ, ઓટોમેશન, પ્રોગ્રામિંગ અને અદ્યતન ઉત્પાદન પ્રક્રિયાઓમાં કુશળતા દર્શાવવાની રહેશે. આ સ્પર્ધા 22 થી 27 સપ્ટેમ્બર દરમિયાન શાંઘાઈમાં યોજાશે.
મુંબઈના યુવા ટેક્નોલોજિસ્ટ પ્રથમ લોહિયા વર્લ્ડ સ્કિલ્સ શાંઘાઈ 2026 માં યુકેનું પ્રતિનિધિત્વ કરશે.
ભાજપ નેતાઓની આયુર્વેદ કોલેજોમાં ગેરકાયદેસર પ્રવેશ
ભાજપ નેતાઓ સાથે સંકળાયેલી આયુર્વેદ કોલેજોમાં નીટ ક્વોલિફાય ન થયેલા 49 વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે પ્રવેશ આપવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. 2019-20માં, કોલેજ સંચાલકોએ લાખોની ફી પડાવી કૌભાંડ આચર્યું. સરકારે નીચું કટ-ઓફ જાહેર કર્યું ન હતું, તેમ છતાં ખાલી બેઠકો ભરવા વિદ્યાર્થીઓને એડમિશન અપાયા. આયુર્વેદ યુનિવર્સિટીએ પછીથી એડમિશન રદ કર્યા, જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહ્યા. પૂર્વ CM વિજય રૂપાણીના ભત્રીજા, પૂર્વ ધારાસભ્ય અને VHPના નેતાઓની કોલેજોમાં પણ આ ગોટાળો થયો છે.
ભાજપ નેતાઓની આયુર્વેદ કોલેજોમાં ગેરકાયદેસર પ્રવેશ
આચાર્યોને અવગણી મદદનીશ શિક્ષકોને સુપરવાઈઝર પદ અપાતા સચિવાલય સુધી રજૂઆત.
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી મકાનોની ફાળવણી અને શૈક્ષણિક ઓર્ડરોમાં અન્યાયી નીતિ સામે જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા કલેકટર કચેરી અને ગાંધીનગર સચિવાલયમાં લેખિત રજૂઆત કરાઈ છે. સ્થાનિક ભ્રષ્ટાચાર, જ્ઞાતિવાદ અને લાગવગશાહીના ગંભીર આક્ષેપો સાથે, ક્વાર્ટર્સ એલોટમેન્ટમાં સિનિયોરિટી નિયમોનું પાલન ન કરાયાનો અને લાયકાત વગરના, લાગવગ ધરાવતા શિક્ષકોને સુપરવાઈઝર પદ અપાતા અસંતોષ ઊભો થયો છે. ઉચ્ચ સ્તરીય તપાસ અને તાત્કાલિક નિકાલની માંગ કરાઈ છે.
આચાર્યોને અવગણી મદદનીશ શિક્ષકોને સુપરવાઈઝર પદ અપાતા સચિવાલય સુધી રજૂઆત.
ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા
વડોદરામાં ધો.૧૦ની પરીક્ષા બાદ ધો.૧૧ વિજ્ઞાાન પ્રવાહમાં પ્રવેશથી વંચિત રહી ગયા હોય તેવા અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ડીઈઓ કચેરી દ્વારા દર વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવે છે.આ વખતે યોજાયેલા કેમ્પમાં પ્રવેશ લેવા આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ગત વર્ષ કરતા ઘરખમ ઘટાડો જોવા મળ્યો છે.તાજેતરમાં ૩ દિવસ માટે આ કેમ્પ યોજાયો હતો અને તેમાં માત્ર ૩૬ વિદ્યાર્થીઓ આવ્યા હતા અને તેમને અલગ અલગ સ્કૂલમાં એડમિશન ફાળવવામાં આવ્યા હતા.
ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા
વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં થોડા મહિના પહેલા કેજી હોલના એક રુમમાં પાણી ગરમ કરવા માટેની કિટલીમાં શોર્ટ સર્કિટ થતા આગનું છમકલું થયું હતું. એ પછી હવે હોસ્ટેલ સત્તાધીશોએ નવા શૈક્ષણિક વર્ષથી હોસ્ટેલના રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્રિકલ ઉપકરણો રાખવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સૂત્રોએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટેના નિયમોમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે.