આયુષમાન-સારાની 'ઉડતા તીર'ની ઓક્ટોબરમાં રીલિઝ ડેટથી ટ્રેડમાં આશ્ચર્ય
આયુષમાન-સારાની 'ઉડતા તીર'ની ઓક્ટોબરમાં રીલિઝ ડેટથી ટ્રેડમાં આશ્ચર્ય
Published on: 13th August, 2026

આયુષમાન ખુરાના અને સારા અલી ખાનની મુખ્ય ભૂમિકા ધરાવતી કોમેડી ફિલ્મ 'ઉડતા તીર' 9 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. આ નિર્ણયથી ટ્રેડ વર્તુળોમાં આશ્ચર્ય છે. નિર્માતા કરણ જોહરે અજય દેવગણની 'દૃશ્યમ થ્રી' સામે સ્પર્ધામાં ઉતરવાનું શા માટે નક્કી કર્યું તે પ્રશ્ન છે. 'દૃશ્યમ થ્રી' એક અઠવાડિયા પહેલા રિલીઝ થશે. જો 'દૃશ્યમ થ્રી' હિટ થાય તો 'ઉડતા તીર'ની બોક્સ ઓફિસ કમાણી મુશ્કેલ બની શકે છે. આ ફિલ્મનું લેખન અને નિર્દેશન આકાશ એ. કૌશિકે કર્યું છે.