૨૬ વર્ષ બાદ શિલ્પા શિરોડકર બોલિવુડમાં પુનરાગમન કરશે
૨૬ વર્ષ બાદ શિલ્પા શિરોડકર બોલિવુડમાં પુનરાગમન કરશે
Published on: 13th August, 2026

અભિનેત્રી શિલ્પા શિરોડકરે ૨૬ વર્ષના લાંબા અંતરાલ બાદ બોલિવુડમાં પુનરાગમન કરવાની જાહેરાત કરી છે. તેમને ફિલ્મ 'માલામાલ વીકલી ટુ' માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં તેઓ રવિના ટંડન અને પરિણીતિ ચોપરા જેવા કલાકારો સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. શિલ્પા શિરોડકર છેલ્લે વર્ષ ૨૦૦૦માં આવેલી ફિલ્મ 'ગજગામિની'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું દિગ્દર્શન અમિત જોશી કરી રહ્યા છે, જેમણે તાજેતરમાં 'તેરી બાતોમાં ઐસા ઉલઝા જિયા' જેવી ફિલ્મો બનાવી છે.