73 વર્ષ જૂના રાજકોટના ભવ્ય લોકમેળાની શાસ્ત્રીમેદાનથી રેસકોર્સ સુધીની ઐતિહાસિક સફર
73 વર્ષ જૂના રાજકોટના ભવ્ય લોકમેળાની શાસ્ત્રીમેદાનથી રેસકોર્સ સુધીની ઐતિહાસિક સફર
Published on: 03rd September, 2026

સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો રાજકોટ લોકમેળો 73 વર્ષથી યોજાઈ રહ્યો છે. 1953માં શાસ્ત્રીમેદાનથી શરૂ થયેલી આ પરંપરા આજે પણ અકબંધ છે. શરૂઆતમાં શાસ્ત્રીમેદાનમાં 31 વર્ષ સુધી સંસ્થાઓ દ્વારા આયોજન બાદ 1984થી રાજ્ય સરકાર અને 1988થી રાજકોટ કલેક્ટર દ્વારા આયોજન થયું. વધતી જનમેદનીને કારણે 2004થી મેળો રેસકોર્સ મેદાનમાં ખસેડવામાં આવ્યો, જે રાજકોટની ભાતીગળ ઓળખ બની ગયો છે.