અમદાવાદની પોળોમાં 26 કૃષ્ણ મંદિરો
અમદાવાદની પોળોમાં 26 કૃષ્ણ મંદિરો
Published on: 04th September, 2026

અમદાવાદની રાયપુર વિસ્તારની 15થી વધુ પોળોમાં 26 કૃષ્ણ મંદિરો આવેલા છે, જેમાંથી 5 મંદિરો અત્યંત પ્રાચીન છે. આ મંદિરોમાં સારંગપુરનું રણછોડજી મંદિર, પીપરડીની પોળનું મુરલીધર મંદિર, બૌવાની પોળનું દ્વારકાધીશ મંદિર, ભૂતની આંબલી-વડની પોળનું રણછોડજી મંદિર અને મઠની પોળ-કોઠની પોળનું રણછોડજી મંદિર વિશેષ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. કેટલાક મંદિરો ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, જ્યારે અન્યની સેવા-પૂજા પોળના રહીશો દ્વારા પેઢીઓથી કરવામાં આવે છે. 450 વર્ષ જૂના રણછોડરાયજી મંદિરમાં ભગવાન કૃષ્ણ તેમની પત્ની જાંબુવતી સાથે બિરાજમાન છે.