કે.કા. શાસ્ત્રી કોલેજમાં બાઉન્સરોની વિદ્યાર્થિનીઓ સાથે કથિત હેરાનગતિ મુદ્દે NSUIનો ઉગ્ર વિરોધ
કે.કા. શાસ્ત્રી કોલેજમાં બાઉન્સરોની વિદ્યાર્થિનીઓ સાથે કથિત હેરાનગતિ મુદ્દે NSUIનો ઉગ્ર વિરોધ
Published on: 10th August, 2026

અમદાવાદની કે.કા. શાસ્ત્રી કોલેજમાં ફરજ બજાવતા બાઉન્સરો દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે કથિત રીતે હેરાનગતિ અને અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપોને લઈને NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે જવાબદાર અધિકારી સામે રજૂઆત કરી હતી. NSUI એ બાઉન્સરોના પોલીસ વેરિફિકેશન, તેમની કંપની અને નિમણૂકની તપાસની તથા વિદ્યાર્થીઓ સાથે થયેલા અયોગ્ય વર્તનની નિષ્પક્ષ તપાસ બાદ તેમને તાત્કાલિક હટાવી દેવાની માંગ કરી છે.