FIPનો ખુલાસો: અમદાવાદ દુર્ઘટનામાં પાઇલટ નહીં, ટેકનિકલ ખામી જવાબદાર
FIPનો ખુલાસો: અમદાવાદ દુર્ઘટનામાં પાઇલટ નહીં, ટેકનિકલ ખામી જવાબદાર
Published on: 06th May, 2026

અમદાવાદ એરપોર્ટ પર થયેલી એર ઇન્ડિયા ફ્લાઇટ 171ની દુર્ઘટનામાં 260 લોકોના મોત બાદ FIP (ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ)ના ખુલાસા મુજબ આ દુર્ઘટના પાઇલટની ભૂલ નહીં, પરંતુ બોઇંગ 787-8 ડ્રીમલાઇનરની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં થયેલી ગંભીર ટેકનિકલ ખામી, ખાસ કરીને બેટરીમાં શોર્ટ સર્કિટ અને Fuel Control Systemને ખોટા સિગ્નલ મળવાને કારણે થઈ હતી. RAT ટેકઓફ દરમિયાન જ સક્રિય થવું અને બ્લેક બોક્સ ડેટામાં 'વોલ્ટેજ સ્પાઇક્સ' FIPના દાવાને સમર્થન આપે છે. CVR ડેટા પણ સૂચવે છે કે Fuel CUTOFF આપમેળે થયો હતો. FIP એ વૈજ્ઞાનિક તપાસ અને બોઇંગ 787 સિમ્યુલેટર પર પરીક્ષણની માંગ કરી છે.