અરવલ્લીના શામળાજી મહાલક્ષ્મી હોસ્પિટલમાં ઓપરેશન બાદ મહિલાનું મોત
અરવલ્લીના શામળાજી મહાલક્ષ્મી હોસ્પિટલમાં ઓપરેશન બાદ મહિલાનું મોત
Published on: 20th July, 2026

અરવલ્લી જીલ્લાના શામળાજી નજીક મહાલક્ષ્મી હોસ્પિટલમાં ધુળેટાની પ્રસૂતાનું ઓપરેશન બાદ બીજા દિવસે મોત નીપજતા પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તબીબ અને સ્ટાફ્ ફરાર થતાં હોસ્પિટલ બહાર આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. પોલીસ કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. શામળાજી પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રસૂતા ભારતીબેન બિપીનભાઈ દામાને પાણી ઓછું હોવાનું કહી ઓપરેશન કરાયું હતું, પરંતુ બીજા દિવસે તબિયત લથડતા તેમનું મોત થયું હતું.