અરવલ્લીના મેઘરજમાં વરુણદેવને પ્રસન્ન કરવા યોજાયો ભવ્ય નવચંડી મહાયજ્ઞ
અરવલ્લીના મેઘરજમાં વરુણદેવને પ્રસન્ન કરવા યોજાયો ભવ્ય નવચંડી મહાયજ્ઞ
Published on: 20th July, 2026

મેઘરજ તાલુકામાં છેલ્લા 8 દિવસથી વરસાદ ન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. વાવેલા પાક માટે વરસાદ અનિવાર્ય બન્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મેઘરજ ગામના યુવાનો દ્વારા જૂના બજાર વિસ્તારમાં રવિવારે વરુણદેવને પ્રસન્ન કરવા માટે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી ઉપેન્દ્રભાઈ પંડ્યા અને અન્ય ભુદેવો દ્વારા પૂજા-અર્ચના અને મંત્રોચ્ચાર કરવામાં આવ્યા બાદ સાંજે શ્રીફળ હોમવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભાવિકોએ આ પ્રસંગે હાજરી આપી હતી.