ભરૂચમાં 'નશામુકત ભારત' અભિયાનનો ભવ્ય શુભારંભ
ભરૂચમાં 'નશામુકત ભારત' અભિયાનનો ભવ્ય શુભારંભ
Published on: 08th August, 2026

ભરૂચના ઝાડેશ્વર સ્થિત બ્રહ્મકુમારીઝ અનુભુતિ ધામ ખાતે 10 કરોડ નશામુકત પ્રતિજ્ઞા મહાઅભિયાન હેઠળ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં નાગરિકો, યુવાનો, મહિલાઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. શાંતિ સંદેશ અને વ્યસનમુક્તિના સંકલ્પ સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં સૌએ નશાનો ત્યાગ કરી પરિવાર, શાળા, સમાજ અને દેશને વ્યસનમુક્ત બનાવવા જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો. 'નશામુકત ભારત'ના સંદેશ સાથે જનજાગૃતિ અભિયાન ચલાવવા આહવાન કરાયું.