દાહોદમાં ફૂડ વિભાગ દ્વારા એનાલોગ પનીર સામે તપાસ
દાહોદમાં ફૂડ વિભાગ દ્વારા એનાલોગ પનીર સામે તપાસ
Published on: 08th August, 2026

ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર જેવી ખાદ્ય બનાવટો પર પ્રતિબંધ મૂક્યા બાદ દાહોદ ફૂડ વિભાગ સક્રિય થયું. શહેરની વિવિધ ડેરીઓ અને ડેરી ઉત્પાદનોના વેપારીઓ ત્યાં તપાસ કરવામાં આવી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. તપાસના ભાગરૂપે, બે સ્થળોએથી પનીરના બે નમૂના પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે. જાહેર આરોગ્યના હિતમાં આ કાર્યવાહી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદ સર્કલ દ્વારા હાથ ધરવામાં આવી છે.