મહીસાગરના કડાણાના દધાલિયા ગામે 20 વર્ષ બાદ ફરી શરૂ થઈ એસ.ટી બસ સેવા
મહીસાગરના કડાણાના દધાલિયા ગામે 20 વર્ષ બાદ ફરી શરૂ થઈ એસ.ટી બસ સેવા
Published on: 08th August, 2026

કડાણા તાલુકાના દધાલીયા ગામમાં 20 વર્ષના લાંબા અંતરાલ બાદ એસ.ટી બસ સેવા પુનઃ શરૂ થતાં ગ્રામજનોમાં ખુશીની લહેર છે. ઐતિહાસિક દિવસે, ગ્રામજનોએ બસનું ઉષ્માભેર સ્વાગત કર્યું અને પૂજા-અર્ચના કરી. છેલ્લા બે દાયકાથી બંધ રહેલી આ સેવાના અભાવે લોકોને શિક્ષણ, રોજગાર અને સારવાર માટે હાલાકી ભોગવવી પડતી હતી. હવે લુણાવાડાથી માનગઢ વચ્ચેની આ બસ સેવા ગ્રામજનો માટે સરળ, સુરક્ષિત અને સસ્તી મુસાફરી સુનિશ્ચિત કરશે, જેને તેઓ વિકાસનું મહત્વપૂર્ણ પગલું ગણાવી રહ્યા છે.