નર્મદાના દેડિયાપાડાના માલસામોટ પ્રવાસન સ્થળની જર્જરિત હાલત
નર્મદાના દેડિયાપાડાના માલસામોટ પ્રવાસન સ્થળની જર્જરિત હાલત
Published on: 08th August, 2026

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલું પ્રખ્યાત પ્રવાસન સ્થળ માલસામોટ, ખાસ કરીને નિનાઈ ધોધ, હાલ જર્જરિત હાલતમાં છે. તંત્રની બેદરકારીને કારણે રેલિંગો તૂટી ગઈ છે, દિવાલોમાં તિરાડો પડી છે અને પ્રવાસીઓ માટેના શેડ તથા બેઠક વ્યવસ્થા પણ ક્ષતિગ્રસ્ત છે. આ સ્થિતિ પ્રવાસીઓની સુરક્ષા માટે જોખમી બની શકે છે, ખાસ કરીને ચોમાસામાં હજારો પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી તાત્કાલિક સમારકામની માંગણી સ્થાનિકો દ્વારા કરાઈ છે.