બોડેલી વકીલ મંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટના નવા પરિપત્રનો ઉગ્ર વિરોધ
બોડેલી વકીલ મંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટના નવા પરિપત્રનો ઉગ્ર વિરોધ
Published on: 08th August, 2026

ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્ટ કાર્યવાહી અને દસ્તાવેજો સંબંધિત નવા પરિપત્ર સામે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી બાર એસોસિએશનના વકીલોએ અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. A-4 સાઇઝ પેપરનો ફરજિયાત ઉપયોગ, નિર્ધારિત Font માં ટાઇપિંગ અને હસ્તલેખિત અરજીઓ બંધ કરવા જેવા નિયમો સામે વકીલોમાં રોષ જોવા મળ્યો છે. આ નવા નિયમોથી સામાન્ય અરજદારોને મુશ્કેલી પડી શકે છે તેમ વકીલોનું માનવું છે. પરિપત્ર પરત ખેંચવાની માંગ સાથે કામગીરીનો બહિષ્કાર ચાલુ રહેશે.