કલાપારખુ કૃષ્ણકુમાર સિંહજી.
કલાપારખુ કૃષ્ણકુમાર સિંહજી.
Published on: 20th May, 2026

મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની કલાદૃષ્ટિ ભાવનગરના કલાકારો માટે આશીર્વાદરૂપ હતી. ફૂલો જેવા કોમળ મહારાજાએ કલા અને કલાકારોના કદરદાન પ્રજા માટે ટાઉનહોલ ભેટ ધર્યો. તેમના વિના ભાવનગરના કલાકારો દેશ-વિદેશમાં ટોચ સુધી ન પહોંચ્યા હોત. ભજનો, નૃત્ય, ચિત્ર, ભવાઈ અને સાહિત્યને પ્રોત્સાહન આપવા તેમણે તજજ્ઞોને બોલાવી માર્ગદર્શનની વ્યવસ્થા કરી. ટાઉનહોલના મંચ પરથી રજૂ થયેલા અનેક યાદગાર પ્રસંગો, કલાકારોની કૃષ્ણકુમાર સિંહજી પ્રત્યેની કૃતજ્ઞતા અને તેમનો "મારી પ્રજાનું કલ્યાણ થજો" સંદેશ ખરા અર્થમાં તેમને કલાપારખુ સિદ્ધ કરે છે.