મેયર નક્કી કરવા ભાજપ નિરીક્ષકો સેન્સ લેશે: 3 દિવસ ચાલશે પ્રક્રિયા
મેયર નક્કી કરવા ભાજપ નિરીક્ષકો સેન્સ લેશે: 3 દિવસ ચાલશે પ્રક્રિયા
Published on: 02nd May, 2026

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની 15 મહાનગરપાલિકામાં જીત બાદ, મેયર સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓની નિમણૂક માટે ભાજપના નિરીક્ષકો 1 થી 3 મે દરમિયાન ધારાસભ્યો, કોર્પોરેટરો અને શહેર સંગઠનના નેતાઓ સાથે સેન્સ લેશે. આ પ્રક્રિયાના અહેવાલ બાદ 4, 5 અને 6 મે દરમિયાન ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. મ્યુનિસિપલ કમિશનર સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જાહેરાત કરશે.