ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા: 7 શહેરોમાં તાપમાન 41°C પાર
ગુજરાત રાજ્ય હાલ ભીષણ ગરમીની અસહ્ય લપેટમાં છે. સૌરાષ્ટ્રના 7 શહેરોમાં રવિવારે પારો 41°Cને પાર થયો, જેમાં સુરેન્દ્રનગર 44.5°C સાથે સૌથી ગરમ રહ્યું. રાજકોટ અને અમરેલીમાં પણ તાપમાન 43°Cથી ઉપર નોંધાયું. આગામી પાંચ દિવસ સુધી તાપમાન 40°Cથી ઉપર રહેવાની સંભાવના છે, જોકે 2-3 દિવસમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે. ચોમાસુ 26 મેની આસપાસ કેરળમાં દસ્તક દઈ શકે છે.
ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા: 7 શહેરોમાં તાપમાન 41°C પાર
6 શહેરમાં 42°C પાર, સુરેન્દ્રનગર સૌથી ગરમ, તાપમાનમાં 2°C વધારો.
ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં સરેરાશ તાપમાનમાં 2 ડિગ્રી વધારો થયો છે. 6 શહેરોમાં પારો 42°Cને પાર પહોંચ્યો છે, જેમાં 44.5°C સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગરમાં 43°C થી ઉપર તાપમાન નોંધાયું. સુરતમાં 6.2°C વધુ તાપમાનને કારણે તીવ્ર હીટવેવનો અનુભવ થયો. આગામી 2 દિવસ તાપમાન સ્થિર રહેશે, પછી 2-3 ડિગ્રી ઘટશે.
6 શહેરમાં 42°C પાર, સુરેન્દ્રનગર સૌથી ગરમ, તાપમાનમાં 2°C વધારો.
અમદાવાદ મેટ્રો સમયમાં ફેરફાર: રાત્રે 11 સુધી મુસાફરી.
અમદાવાદ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. આજથી રાત્રે 11 વાગ્યા સુધી મેટ્રોની સેવા ઉપલબ્ધ રહેશે. આ નિર્ણય ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડશે, તથા પેટ્રોલ-ડીઝલની બચત કરશે. વસ્ત્રાલ અને થલતેજથી છેલ્લી ટ્રેન 11 વાગ્યે ઉપડશે. ગાંધીનગર રૂટ પર પણ સમય લંબાવવામાં આવ્યો છે.
અમદાવાદ મેટ્રો સમયમાં ફેરફાર: રાત્રે 11 સુધી મુસાફરી.
રાજકોટ: દેશી દારૂ પીધા બાદ બે યુવાનોના શંકાસ્પદ મોત, લોકોમાં રોષ.
રાજકોટના સામા કાંઠાની ભગીરથ સોસાયટીમાં દેશી દારૂ પીધા બાદ મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયા નામના બે મિત્રોના શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યા છે. પોલીસને દારૂમાં કેમિકલ ભેળસેળની શંકા છે. Forensic PM બાદ સચોટ કારણ જાણી શકાશે. આ ઘટનાથી દેશી દારૂના દૂષણ સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે.
રાજકોટ: દેશી દારૂ પીધા બાદ બે યુવાનોના શંકાસ્પદ મોત, લોકોમાં રોષ.
🔥 યુપીનું બાંદા સૌથી ગરમ, 22 શહેરોમાં પારો 43°C પાર
🌡️ રાજસ્થાન, MP સહિત 9 રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ. ઘણા જિલ્લાઓનું તાપમાન 45°C પાર કરશે. પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર પણ યલો એલર્ટ પર. UPના બાંદામાં 46.4°C, રાજસ્થાનમાં 45°C, MPમાં 44.5°C નોંધાયું. બિહારમાં ગરમીથી 27 વિદ્યાર્થીનીઓ બેભાન. આગામી બે દિવસ ગરમી યથાવત રહેશે.
🔥 યુપીનું બાંદા સૌથી ગરમ, 22 શહેરોમાં પારો 43°C પાર
યુદ્ધની આડમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો ખેલ, ફેબ્રુઆરીમાં કરોડો ડૉલરના શેર વેચી માર્ચમાં ફરી ખરીદી લીધા
Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત પોતાના શેર ટ્રેડિંગ માટે વિવાદોમાં ઘેરાયા છે. અમેરિકા મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રમ્પે ફેબ્રુઆરીમાં માઇક્રોસોફ્ટ અને એમેઝોનનાં 50 લાખ ડોલરથી 2.5 કરોડ ડોલર સુધીનાં શેર વેચ્યા હતાં અને માર્ચમાં આ જ કંપનીઓનાં કરોડો ડોલરનાં શેર ખરીદી લીધા હતાં.જો કે શેરોની લેવડદેવડની આ માહિતી યોગ્ય સમયમાં જાહેર કરવામાં આવી ન હતી. જેના કારણે તેમને દંડ ભરવો પડયો છે.
યુદ્ધની આડમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો ખેલ, ફેબ્રુઆરીમાં કરોડો ડૉલરના શેર વેચી માર્ચમાં ફરી ખરીદી લીધા
કલ્પસર ડેમ : પીએમ મોદી ઐતિહાસિક ભવિષ્ય નિર્માણ કરશે.
પીએમ મોદીના યુરોપ પ્રવાસમાં નેધરલેન્ડ સાથે ૧૭ કરાર થયા. તેમાં સેમીકન્ડક્ટર, સંરક્ષણ, ક્રિટિકલ મિનરલ્સ, ગ્રન હાઈડ્રોજન, ઊર્જા, કૃષિ અને ટેક્નોલોજીનો સમાવેશ છે. ધોલેરામાં સેમીકન્ડક્ટર ફેબ માટે ટાટા અને ASML વચ્ચે સમજૂતી થઈ. આ ભારત-નેધરલેન્ડ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે.
કલ્પસર ડેમ : પીએમ મોદી ઐતિહાસિક ભવિષ્ય નિર્માણ કરશે.
ટુંડાવમાં નવીન રોડ તોડી ગટર લાઇન: કામગીરી અટકાવાઇ.
સાવલી તાલુકાના ટુંડાવ ગામે રૂ.15 લાખના નવીન રોડને તોડી ગટર લાઈન નાખતા ગ્રામજનોએ વિફરી કામગીરી અટકાવી. વિકાસના વિરોધી નથી, પણ યોગ્ય આયોજન વિના રોડ તોડવા સામે વિરોધ છે. પંચાયત પર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તપાસ અને કાર્યવાહીની માંગ. હાલ ગટરનું કામ સ્થગિત.
ટુંડાવમાં નવીન રોડ તોડી ગટર લાઇન: કામગીરી અટકાવાઇ.
Vadodara: વાઘોડિયાની ITM વોકેશનલ યુનિ.માં મેગા જોબફેર-26 સંપન્ન
વાઘોડિયા : વાઘોડિયાની ITM વોકેશનલ યુનિ.ના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા યુનિ.ના રવાલ કેમ્પસ ખાતે ભવ્ય મેગા જોબફેર-2026 યોજાયો હતો.જેમાં દેશ-વિદેશની પ્રતિષ્ઠિત 35 જેટલી કંપનીએ ભાગ લીધો હતો. જેમાં એપોલો ટાયર્સ, MRF, હિલ્ટી, RR કાબેલ, એક્સિસ બેંક,રિલાયન્સ જિયો, ટોરેન્ટ ફર્મા અને લુપિન જેવી નામાંકિત બ્રાન્ડ્સ રહી હતી. આ મેગા જોબફેરમાં ફર્મા, ઇન્ફેર્મેશન ટેકનોલોજી (IT),એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને હેલ્થકેર જેવા વિવિધ ક્ષેત્રોમાં કુલ 1000થી વધુ ખાલી જગ્યા 800થી વધુ સ્નાતક, અનુસ્નાતક વિદ્યાર્થીએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા.
Vadodara: વાઘોડિયાની ITM વોકેશનલ યુનિ.માં મેગા જોબફેર-26 સંપન્ન
છોટાઉદેપુર: ગુરુકૃપા સોસા.માં આખલાએ મચાવ્યું આતંક, બે મહિલા ઘાયલ.
છોટાઉદેપુરના ગુરુકૃપા સોસાયટીમાં એક હડકાયા આખલાએ ભારે આતંક મચાવ્યો હતો. આ આખલાએ બે મહિલાઓને ઇજા પહોંચાડી હતી, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રેસ્ક્યૂ ટીમને બોલાવી આખલાને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આગેવાનો દ્વારા આવા પશુઓને રસી આપવાની પણ કામગીરી કરાશે.
છોટાઉદેપુર: ગુરુકૃપા સોસા.માં આખલાએ મચાવ્યું આતંક, બે મહિલા ઘાયલ.
Bharuch: ઇખર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
પાલેજ : આમોદના ઇખર સ્થિત હૉલમાં વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન ઈન્ડિયા ચેપ્ટર (શિક્ષણ સમિતિ)તેમજ પ્રોગેસિવ વેલફેર ટ્રસ્ટ ઇખર (યુ કે)કમિટીના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.યુનુસભાઇ તલાટીએ હાજરજનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેજસ્વી તારલાઓને મોમેન્ટો તેમજ રોકડ રકમ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અલગ અલગ વક્તાઓએ સેમિનારમાં શિક્ષણ બાબતે હાજરજનોને અને વિશેષ કરીને વાલીઓને માહિતી આપી હતી. ભરૂચ વ્હોરા પટેલ ટ્રસ્ટના પ્રમુખ ઇકબાલભાઇ પાદરવાળાએ પણ છાત્રોને શિક્ષણ બાબતે માર્ગદર્શન આપ્યું હતું.
Bharuch: ઇખર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
Ankleshwar: અંકલેશ્વર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રક્તદાન શિબિર યોજાઇ
અંકલેશ્વર : આર્ટ ઓફ્ લિવિંગ દ્વારા ફઉન્ડેશનની પૂર્ણતાના 45 વર્ષ પૂર્ણ થવાના અવસરે કમલામ પાર્ટી પ્લોટ, જીઆઈડીસી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 50થી વધુ દાતાઓએ ભાગ લઈને રક્તદાન કરી સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવાનો અને તેના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ હતો.
Ankleshwar: અંકલેશ્વર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રક્તદાન શિબિર યોજાઇ
Bharuch: જૂના તવરા ગામે પાંચમો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો
ભરૂચ : ભરૂચ તાલુકાના નર્મદા નદીના પવિત્ર તટ પર આવેલ જૂના તવરા ગામે શ્રી સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરના પાંચમા પાટોત્સવની શ્રાદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ધાર્મિક આયોજન ગોહિલ રાજપૂત પરિવારના અગ્રણી પ્રવિણસિંહ પ્રભાતસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું. નવચંડી યજ્ઞ યોજાયો હતો. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભગવાન શ્રી સત્યનારાયણ અને ગંગા ભવાની માતાજીની મહાઆરતી ઉતારાઇ આવી હતી.
Bharuch: જૂના તવરા ગામે પાંચમો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો
ભરૂચ: પુષ્પમ ગ્રૂપની સામાન્ય સભા અને સ્નેહ સંમેલન યોજાયું.
ભરૂચ ખાતે પુષ્પમ ગ્રૂપની સામાન્ય સભા અને સ્નેહ સંમેલન રવિવારે યોજાયું. આ પ્રસંગે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ શાહ વિશેષ અતિથિ હતા. કાર્યક્રમમાં પ્રાર્થના, પ્રાસંગિક પ્રવચનો, વાર્ષિક અહેવાલ અને હિસાબોની રજૂઆત થઈ. સભ્યોને સ્મૃતિ ચિહન અપાયા.
ભરૂચ: પુષ્પમ ગ્રૂપની સામાન્ય સભા અને સ્નેહ સંમેલન યોજાયું.
Bharuch: સરકાર ગ્રૂપ યુવા મંડળ દ્વારા 300 લિટર ઠંડી છાશનું વિતરણ
ભરૂચ સરકાર ગ્રુપ યુવા મંડળ દ્વારા શહેરના પાંચબત્તી સર્કલ ખાતે આશરે 300 લીટર ઠંડી છાશનું વિતરણ કરી ગરમીથી ત્રસ્ત લોકોને રાહત પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બપોરની તાપમાનભરી ગરમીમાં લોકોને ઠંડક અને તાજગી મળતા આ સેવાકીય કામગીરીને સ્થાનિકોમાંથી સારો પ્રતિસાદ અને સરાહના મળી હતી.
Bharuch: સરકાર ગ્રૂપ યુવા મંડળ દ્વારા 300 લિટર ઠંડી છાશનું વિતરણ
ભરૂચ: અછાલીયા મહાલક્ષ્મી મંદિરનો પાટોત્સવ ઉજવાયો
ઝઘડીયા તાલુકાના અછાલીયા ગામમાં રાવ પરિવારની કૂળદેવી મહાલક્ષ્મી માતાના મંદિરના પાટોત્સવની ઉજવણી અવસરે નવચંડી યાગ સંપન્ન થયો. મુખ્ય યજમાન નરપતભાઇ રાવ પરિવારના હસ્તે પ્રતિમા શૃંગાર, નૂતન ધ્વજારોહણ અને વેદોક્ત વિધિસર યજ્ઞ પ્રારંભ કરાયો. મોટી સંખ્યામાં ભક્તિપ્રિય જનતાએ આરતી, ધૂન, સ્તુતિગાન અને દર્શન કરી મહાપ્રસાદ ગ્રહણ કર્યો.
ભરૂચ: અછાલીયા મહાલક્ષ્મી મંદિરનો પાટોત્સવ ઉજવાયો
યોગીજી મહારાજના પ્રાગટ્યદિનની ભક્તિમય ઉજવણી, ભજન-પ્રવચનો.
જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિરે યોગીજી મહારાજના 134મા પ્રાગટ્યદિન નિમિત્તે યોગીપર્વ યોજાયું. પૂ. વૈરાગ્યપ્રિય સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો, સત્સંગ મહિમા અને આધ્યાત્મિક જીવન અંગે પ્રેરણાદાયી પ્રવચનો આપ્યા. હરિભક્તોએ યજમાન, પ્રસાદ, રસોઈ સહિત વિવિધ સેવાઓ ઉત્સાહપૂર્વક કરી. મંદિર પરિસર ભક્તિમય બન્યું.
યોગીજી મહારાજના પ્રાગટ્યદિનની ભક્તિમય ઉજવણી, ભજન-પ્રવચનો.
નવા સાંઢિયાપુલથી રાજકોટ-જામનગર વાહનચાલકોને ફાયદો, સમય-ઈંધણ બચશે
રાજકોટ-જામનગર રોડ પર 74 કરોડના ખર્ચે બનેલો નવો ફોરલેન સાંઢિયાપુલ તૈયાર. 46 વર્ષ જુના ટુ-લેન પુલને તોડીને આ ઓવરબ્રિજ બનાવાયો. આ બ્રિજ શરૂ થતાં દરરોજ અંદાજે 1 લાખ વાહનચાલકોના સમય અને ઈંધણની બચત થશે. ઉપરાંત, શહેરની અંદરનો ટ્રાફિક પણ ઘટશે. ગુજરાતની પ્રથમ AIIMS હોસ્પિટલ સુધી પહોંચવાનું પણ સરળ બનશે.
નવા સાંઢિયાપુલથી રાજકોટ-જામનગર વાહનચાલકોને ફાયદો, સમય-ઈંધણ બચશે
શુક્લતીર્થમાં JCB બકેટથી યુવકની હત્યા, અકસ્માત કે કાવતરું?
ભરૂચ નજીક શુક્લતીર્થ ગામમાં નદી વિસ્તારમાં JCBના બકેટથી ગળું દબાવી એક યુવકની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મૃતદેહ મળતાં લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગળા પાસે JCBનું બકેટ મળતાં આ બનાવ અકસ્માત છે કે ઇરાદાપૂર્વકની હત્યા તે અંગે તર્કવિતર્ક ચાલી રહ્યા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી, યુવકની ઓળખ અને ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
શુક્લતીર્થમાં JCB બકેટથી યુવકની હત્યા, અકસ્માત કે કાવતરું?
ઇરાનની મસ્જિદોમાં હથિયારોની તાલિમ, ત્રણ કરોડ લોકોનું રજિસ્ટ્રેશન
અમેરિકા-ઇઝરાયેલ સામે લડવા ઇરાન નાગરિકોને તૈયાર કરી રહ્યું છેમોટી સંખ્યામાં મહિલાઓ પણ એકે-47 ચલાવવાનું શીખી રહી છે, તાલિમના વીડિયો લોકો સુધી પહોંચાડાઇ રહ્યા છેતહેરાન: અમેરિકા અને ઇઝરાયેલ સામે ભિષણ યુદ્ધની સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે ઇરાન પોતાના નાગરિકોને તૈયાર કરી રહ્યું છે. આ માટે ઇરાન હવે મસ્જિદોનો પણ ઉપયોગ કરી રહ્યું હોવાનું સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું.દાવા મુજબ ઇરાન પોતાના નાગરિકોને મસ્જિદોમાં હથિયારો ચલાવવાની ટ્રેનિંગ આપી રહ્યું છે.
ઇરાનની મસ્જિદોમાં હથિયારોની તાલિમ, ત્રણ કરોડ લોકોનું રજિસ્ટ્રેશન
શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા
રાજસ્થાનના બિવાલ પરિવારની બબાલ ગયા વર્ષે પાંચને એડમિશન મળ્યું તેમાંથી બે નીટ પહેલા અભ્યાસમાં સાવ નબળા હતાજયપુર: નીટ પેપર લીક મામલે સતત નવા ખુલાસા થઇ રહ્યા છે, આ સમગ્ર કાંડની શરૂઆત રાજસ્થાનથી થઇ હતી, અહીંયા એક બિવાલ પરિવારના ત્રણ લોકોની ધરપકડ કરાઇ છે. જેમણે પેપર લીક કરાવીને પોતાના જ સંતાનોને આપ્યા હતા. જોકે આ પરિવારના અગાઉ પાંચ લોકો નીટ પાસ કરીને કોલેજોમાં એડમિશન લઇ ચુક્યા છે, પણ અભ્યાસમાં તેઓ શૂન્ય છે.
શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા
જોસેફ વિજયએ નવો ટ્રેન્ડ શરૂ કર્યો
નવીદિલ્હી: દેશના તમામ રાજકારણીઓ પોતાની ખુરશી પર ટોવેલ લટકાવેલો રાખે છે. આ પ્રથા કોણે શરૃ કરી હતી એની ખબર નથી, પરંતુ રાજકારણીઓ જ નહીં. મંત્રાલયના અધિકારીઓ પણ ખુરશી પર ટોવેલ બીછાવેલો રાખે છે. આ બાબતે પર્યાવરણ ચળવળકર્તા લીકાઇપ્રીયા કાંગુજામએ તામિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયને આ 'ટોવેલ કલ્ચર'નો અંત લાવવા કહ્યું હતું. વિજયએ કોઈપણ પ્રકારની જાહેરાત વગર પોતાની ખુરશી પરનો ટોવેલ હટાવી દીધો છે. કાંગુજામએ સોશ્યલ મીડિયા એક્સ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
જોસેફ વિજયએ નવો ટ્રેન્ડ શરૂ કર્યો
બાબુઓએ પાંચ કરોડમાં જમીન ખરીદી હાઇવે મંજૂર થયો, હવે ભાવ 60 કરોડ
- 50થી વધુ આઇએએસ-આઇપીએસની સરકારી સાંઠગાંઠનો આક્ષેપ- અધિકારીઓની જમીન પાસેથી રોડ પસાર કરવા પ્રોજેક્ટમાં ત્રણ વખત ફેરફાર, હવે રદ કરવા માગ ??ભોપાલ: શેરબજારની ભાષામાં જેને ઇનસાઇડર ટ્રેડિંગ કહેવાય તેવું રાજકારણમાં પણ ચાલતું હોય છે, પણ બજારમાં રેગ્યુલેટરી ઓથોરિટી છે. જ્યારે અહીં તો રેગ્યુલેટરી પોતે જ શંકાના ઘેરામાં છે. મ.પ્ર.
બાબુઓએ પાંચ કરોડમાં જમીન ખરીદી હાઇવે મંજૂર થયો, હવે ભાવ 60 કરોડ
સુરેન્દ્રનગર જિલ્લામાં ડેન્ગ્યુ કેસોમાં રેકોર્ડ ઘટાડો: 7 વર્ષમાં 250 થી 2 કેસ.
સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગની સઘન ડોર-ટુ-ડોર કામગીરી અને લોકોની જાગૃતિને કારણે ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2019 માં 260 કેસથી ઘટીને 2026 માં માત્ર 2 કેસ નોંધાયા છે. આરોગ્ય ટીમો દ્વારા પાણીના પાત્રોની નિયમિત તપાસ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. લોકો પણ પોતાના ઘરની આસપાસ પાણી જમા ન થાય તે માટે સતર્ક બન્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ડેન્ગ્યુ કેસોમાં રેકોર્ડ ઘટાડો: 7 વર્ષમાં 250 થી 2 કેસ.
પ્રતાપરા ગામમાં નવી પ્રાથમિક શાળા બનશે, બાળકોને સુવિધાઓ મળશે.
અમરેલી જિલ્લાના પ્રતાપપરા ગામે 1.27 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે નવી પ્રાથમિક શાળા બનશે. રાજ્યના મંત્રી કૌશિક વેકારિયા દ્વારા ખાતમુહૂર્ત કરાયેલ આ શાળામાં વિશાળ વર્ગખંડો, પીવાના પાણી, સ્વચ્છતા અને રમતગમતની સુવિધાઓ હશે. આ શાળા પ્રતાપરા ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ યોગદાન આપશે.
પ્રતાપરા ગામમાં નવી પ્રાથમિક શાળા બનશે, બાળકોને સુવિધાઓ મળશે.
માધાપર: પાણી સમસ્યા, સત્તાપક્ષના ગઢમાં ભેદભાવનો આરોપ
માધાપર ગામમાં, જે સત્તાપક્ષનું ગઢ ગણાય છે, ત્યાં પાણીની ગંભીર સમસ્યાને કારણે લોકોમાં રોષ છે. જુનાવાસમાં છેલ્લા ચાર દિવસથી પીવાનું પાણી નથી. ગ્રામજનો આક્ષેપ કરે છે કે નવાવાસ અને જુનાવાસ વચ્ચે સુવિધાઓમાં સ્પષ્ટ ભેદભાવ છે. ભાજપના શાસનમાં પણ પ્રાથમિક સમસ્યાનો ઉકેલ ન આવતાં અસંતોષ વધી રહ્યો છે.
માધાપર: પાણી સમસ્યા, સત્તાપક્ષના ગઢમાં ભેદભાવનો આરોપ
જામનગર-દેવભૂમિના 48 ગામોમાં જળસંગ્રહ ક્ષમતામાં 57.7 કરોડ લિટરનો વધારો.
ભારતીય જૈન સંગઠન (BJS) દ્વારા ચલાવાઈ રહેલા જળ સંચય અભિયાન અંતર્ગત, જામનગર-દેવભૂમિ જિલ્લાના 48 ગામોના તળાવોમાંથી માટી-કાંપ કાઢીને ઊંડા ઉતારવામાં આવ્યા. આ પ્રયાસો દ્વારા 57.7 કરોડ લીટર જેટલી જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે, જે ખેડૂતો, પશુઓ અને સ્થાનિક સમુદાય માટે જીવાદોરી સમાન છે. રોટરી કલબના સહયોગથી આ ભગીરથ કાર્ય સરકારી ગ્રાન્ટ વગર, દાતાઓ અને CSR ફંડના માધ્યમથી સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.
જામનગર-દેવભૂમિના 48 ગામોમાં જળસંગ્રહ ક્ષમતામાં 57.7 કરોડ લિટરનો વધારો.
પટેલપાર્કથી બાયપાસ સુધી લીમડાના 200થી વધુ વૃક્ષોનો હરિયાળો ઉછેર.
જામનગરના પટેલ પાર્કથી લાલપુર બાયપાસ સુધી સદભાવના સંસ્થા દ્વારા 200થી વધુ લીમડાના વૃક્ષો ઉછેરી હરિયાળી દીવાલ બનાવી છે. આ ઘટાદાર વૃક્ષો વાહનચાલકો અને રાહદારીઓને શીતળ છાંયડો તથા શુદ્ધ ઓક્સિજન પૂરો પાડી પર્યાવરણ જતનમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.